બે દિવસથી જિલ્લામાં અવિરત મેઘ મહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન વાવાઝોડાની વ્યાપક અસર વચ્ચે અવિરત રીતે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં આ દિવસોમાં બે થી આઠ ઈંચ સુધી સાર્વત્રિક વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા.
"બિપોરજોય" વાવાઝોડા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રાટકેલા ભારે વરસાદમાં આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ખંભાળિયા તાલુકામાં વધુ સાડા સાડા પાંચ ઈંચ (૧૩૩ મિલીમીટર) પાણી પડી ગયું હતું. આ સાથે દ્વારકામાં પણ સાડા ચાર ઈંચ (૧૧૫ મિલીમીટર), કલ્યાણપુર તાલુકામાં દોઢ ઈંચ (૩૫ મિલીમીટર) અને ભાણવડમાં એક ઈંચ (૨૧ મિલીમીટર) વરસાદ વરસી ગયાનું નોંધાયું છે.
ખંભાળિયા પંથકમાં ગઈકાલે શુક્રવારે આખો દિવસ હળવા તથા ભારે ઝાપટાનો દૌર યથાવત રહ્યો હતો મુશળધાર વરસાદના પગલે નીચાણવારા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જે માટે તંત્ર દ્વારા નોંધપાત્ર કવાયત કરવામાં આવી હતી. શુક્રવારે ઢળતી સાંજે પરિસ્થિતિ મહદ અંશે કાબુમાં આવી હતી.
આજે સવાર સુધીમાં મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં ૧૬ ઈંચ (૩૯૨ મિલીમીટર), દ્વારકામાં સાડા બાર ઈંચ (૩૧૬ મિલીમીટર), કલ્યાણપુર તાલુકામાં સાડા નવ ઈંચ (૨૩૬ મિલીમીટર) અને ભાણવડ તાલુકામાં સાત ઈંચ (૧૭૭ મિલીમીટર) નોંધાયો છે.
જિલ્લામાં આજસુધી કુલ સોળ ઈંચ સુધીનો વાવણી જોગ વરસાદ થતા અનેક ખેડૂતોએ વાવણીકાર્ય પણ આરંભી દીધું છે.
**
પીજીવીસીએલ તંત્રની કાબિલેદ કામગીરી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડા પૂર્વે વીજતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વાવાઝોડા દરમિયાન તેમજ વાવાઝોડા પછી કરવાની થતી કામગીરીનું આયોજન થયું હતું. જેના પરિણામે ખૂબ મોટી સંખ્યામાં વીજપોલ ધરાશાયી થઈ ગયા હોવા છતાં પણ ગઈકાલે શુક્રવારે સાંજે જ ખંભાળિયા શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો. જેથી નગરજનોએ રાહતની લાગણી અનુભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech