ભારતીય કોસ્ટગાર્ડમાં ડાયરેકટર જનરલ તરીકે ફરજ બજાવતા રાકેશ પાલનું અચાનક જ હૃદયરોગના હુમલાથી નિધન થતા સમગ્ર પોરબંદરમાં ગહેરો શોક જોવા મળ્યો હતો. ત્યારે તેમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થનાસભાનું બીરલા હોલ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વિશાળ સંખ્યામાં અગ્રણીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જરના બનેવી રાકેશ પાલ કે જેઓ ભારતીય કોસ્ટગાર્ડમાં ડી.જી. તરીકે ફરજ બજાવતા હતા અને ચેન્નઇ ખાતે તેમનું હૃદયરોગના હુમલાથી અચાનક જ નિધન થયુ હતું. તેમના અવસાનના આ સામાચારથી સમગ્ર પોરબંદર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. કેતનભાઇ ગજ્જર સહિત તેમના પરિવારજનોને સાંત્વના આપવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા. પોરબંદરના બીરલાહોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન થતા કોસ્ટગાર્ડના ઉચ્ચઅધિકારીઓથી માંડીને શહેરની જુદી જુદી સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ સહિત કેતનભાઇ ગજ્જરનું બહોળુ મિત્રવર્તુળ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રાકેશ પાલના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech