પોરબંદરમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા નાસ્તાની લારી દુકાનમાં થઇ તપાસ

  • June 06, 2025 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં મહાનગરપાલિકાના તંત્રએ નાસ્તાની લારી દુકાનોમાં તપાસ હાથ ધરીને ફૂડ સેફટીના નિયમનું ઉલ્લંઘન કરનારા છ ધંધાર્થીઓને ૪૫૦૦નો દંડ ફટકાર્યો છે.
ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના નવયુગ વિદ્યાલય, એસ.ટી. રોડ વિસ્તાર અને રોકડીયા હનુમાન મંદિર માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં નાસ્તાગૃહ, ભોજનાલય, બેકરી, આઇસક્રીમશોપ, સોડાશોપ, રસલારી, ઠંડાપીણા, મીઠાઇ, ફરસાણ વગેરેનું વેચાણ કરતા ધંધાર્થીઓની દુકાન અને લારીમાં ચેકીંગ કરવામાં આવેલ તેમજ ફ્રૂટનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવેલ અને ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવેલ છે અને આ ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરતા ચેકીંગમાં ફૂડ સેફટી અંગેનુ પાલન ન થતુ હોય એવા કુલ ૬ ધંધાર્થીઓ પાસેથી કુલ ‚ા. ૪૫૦૦નો વહીવટીચાર્જ વસુલ કરેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application