પોરબંદરમાં ગત ચોમાસાની ભુલમાંથી પાઠ ભણવાના બદલે એ જ ભુલ રીપીટ કરવા માટે અને તો જ ડિઝાસ્ટરના ખરા ખોટા બીલ મળે અને મલાઇ મળે તેવુ માનનારા પોરબંદરના નીંભર અધિકારીઓ અને તંત્રએ બુધ્ધિનું પ્રદર્શન કરીને ઉદ્યોગનગર રેલ્વેફાટક પાસે વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થિત મોટુ આર.સી.સી. બોકસ કલવર્ટ બનાવવાના બદલે નાના પાઇપ મુકયા છે જેથી આગામી ચોમાસામાં પણ આ વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ડૂબી જશે અને લોકોની મિલ્કતને નુકશાન થશે તેથી આ મુદ્ે સ્થાનિક રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશ્નરને મળીને સામૂહિક રીતે આવેદનપત્ર પાઠવ્યુ છે. પોરબંદરના ઉદ્યોગનગર રેલ્વે ફાટક પાસે મીરા નગર અને પારસનગર સોસાયટીના રહેવાસીઓ વતી શ્રી ઓમકારેશ્ર્વર મહાદેવ સમિતિએ તેમના વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે માંગ કરીને જણાવ્યુ છે કે જી.આઇ.ડીસી. દ્વારા તેના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નવુ ગટર નેટવર્ક બનાવવામાં આવેલ છે. જે ગત વર્ષે અધૂરુ છોડયા બાદ હવે પારસનગરની પાછળ સુધી કરેલ છે. જ્યાં આ ગટરથી પાણીનો નિકાલ રેલ્વેને સમાંતર આવેલ કાચી ગટર મારફત ખાડી સુધી થશે. આ કાચી ગટર પર રેલ્વે ફીાટક પાસે પાઇપ કલ્વર્ટ આવેલ છે. જે ખૂબ નાનું તેમજ ગટર કરતા લેવલમાં ઉંચુ હોય પૂરતા પ્રમાણમાં પાણીનો નિકાલ થઇ શકતો નથી. રેલ્વે લાઇનને સમાંતર આવેલી આ ખુલ્લી ગટર સમગ્ર જી.આઇ.ડી.સી. વિસ્તાર તથા તેની પાછળના ભાગના સમગ્ર વિસ્તાર તેમજ ખાપટના સોસાયટી વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ છે. ગત વર્ષે થયેલ અતિવૃષ્ટિના સમયે જી.આઇ.ડી.સી. તેમજ ઉપરવાસના વિસ્તારનું પાણી આવતા આ કલ્વર્ટથી પાણીનો ત્વરિત નિકાલ થઇ શકતો ન હતો. જેથી સમગ્ર રહેણાંક વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા હતા. ઘણા ઘરોમાં પાણી ઘુસી જવાથી ખુબજ નુકશાની થયેલી ત્યારે મશીનો દ્વારા આ પાઇપ કલ્વર્ટ તોડી પાણીનો નિકાલ કરવો પડયો હતો. પાઇપમાં જાડી ઝાંખરા, કચરો વગેરે ભરાઇ જવાના કારણે પાણી નિકાસ અટટકતો હોય દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે. આથી આ પાઇપ કલવર્ટની જગ્યાએ મોટું આર.સી.સી. બોકસ કલવર્ટ બનાવી આપવામાં આવે તો સમગ્ર વિસ્તારને દર વર્ષે વરસાદના સમયે પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ થઇ જાય. આ અંગે અમોએ અગાઉ પણ અનેક વખત રજુઆત કરેલી છે. પરંતુ હજુ સુધી કોઇ નિરાકરણ મળેલ નથી. ઓવરબ્રીજ નીચેનો આ સર્વિસ રોડ હવે સ્ટેટ આર. એન્ડ બી વિભાગ હસ્તક હોઇ. આપન એમને સૂચિત કરી આ જગ્યાએ તાત્કાલિક બોકસ કલ્વર્ટ બનાવી આપો તેવી નમ્ર અરજ છે. ચોમાસાના દિવસો હવે બહુ દૂર નથી ત્યારે જો તાત્કાલિક ધોરણે આ અંગે કાર્ય શ કરવામાં નહી આવે તો સમગ્ર વિસ્તારને ફરી પૂરની પરિસ્થિતિ ભોગવવી પડશે.
કોઇપણ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાસ રસ્તા પર દબાણને કારણે નિકાસ બંધ અથવા સાંકળો થાય ત્યારે અનેક વિસ્તારમાં પાણી ભરાતા હોય છે અને ખુબજ નુકશાની થતી હોય છે. જે હમેશા તંત્ર માટે મુશ્કેલ બાબત બનતી હોય છે. ત્યારે હાલમાં હયાત પાઇપ કલ્વર્ટ પછી રેલ્વે લાઇનને સમાંતર આવેલી ખુલ્લી ગટરમાં આર.સી.સી. પાઇપ નાખ તેને બંધ ગટર (જેનો ક્રોસ સેકશન એરિયા ઘણો નાનો છે) કરવાની કામગીરી રેલ્વે દ્વારા ચાલુ છે. જો આ કામગીરી અટકાવવામા નહી આવે તો ચોમાસામાં પહેલા વરસાદમાં જ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જશે જે નિશ્ર્ચિત છે. તેમજ જળ ભરાવની પરિસ્થિતિમાં આ પાઇપો કાઢી ગટર ખુલ્લી કરવા સિવાય કોઇ વિકલ્પ રહેશે નહીં. જ્યારે એક સરકારી નિગમ (જી.આઇ.ડી.સી. ) પોતાનું પાણી રહેણાંક સોસાયટીની પાછળ ખુલ્લી ગટરમાં છોડે અને બીજો સરકારી વિભાગ રેલ્વે આ ખુલ્લી ગટરને બંધ કરી સાંકળી કરે અને પછી સમગ્ર રહેણાંક વિસ્તાર પાણીમાં ગરક થઇ જાય તો આ માટે જવાબદાર સરકારી તંત્ર જ રહેશે. અને આ બંનેના ચાલુ કામ દરમ્યાન અવારનવાર રજુઆતો કરવા છતાં કોઇ નિરાકરણ મળેલ નથી .
આશા છે અમારા ઉપરોકત પ્રશ્ર્ન અંગે તાત્કાલિક ઘટતુ કરી પ્રશ્ર્નનો નિકાલ કરશો.તેવી આશા અપેક્ષા સાથે રહેવાસીઓએ આવેદન પાઠવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધ તો દૂરની વાત, સિંધુના પાણી માટે પાકિસ્તાને ભારત પાસે કરગરવાનું શરૂ કર્યું
June 05, 2025 01:55 PMજામનગર: ગુરૂદ્વારા ચોકડી પાસે ફલાય ઓવરબ્રિજને આકર્ષક ચિત્રો સાથે રંગરૂપ આપવાનું શરૂ કરાયું
June 05, 2025 12:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech