પ્રાથ.શાળામાં ફેરબદલીવાળા સિનિયર શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપી શકાશે

  • May 24, 2025 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રાથમિક શાળામાં આચાર્યની મંજૂર જગ્યા ખાલી હોય અને ચાર્જ આપવાની પ્રક્રિયાના નિયમોમાં અગાઉ શાળામાં હાજર થયાની પ્રવર્તતા ગણાતી હતી. જેમાં હવે ખાતામાં હાજર થયાની પ્રવર્તતા ગણવાની બાબતને પણ મંજૂર કરાઈ છે. ત્યારે બદલી લઇ આવેલ એચ ટાટ શિક્ષકોને પણ આચાર્યનો ચાર્જ સોંપી શકાય છે. આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લાની ૨૪૦ જેટલી સરકારી પ્રાથમિક શાળામાં આચાર્યની મંજૂર મહેકમ પ્રમાણેની જગ્યા ખાલી છે. જ્યારે આચાર્યનો ચાર્જ લેવા બાબતે પણ ઘણી અસમંજસ હતી અને સિનીયર શિક્ષકોને આ ચાર્જ અપાતો હતો. તો ક્યાંક આવા શિક્ષકો ચાર્જ સંભાળવા તૈયાર ન હોતા થતા જ્યારે બદલી પામેલ સિનીયરને પણ ચાર્જ સોંપાતો ન હતો. જ્યારે પ્રાથમિક શિક્ષણ કચેરી વિદ્યા સમિક્ષા કેન્દ્રના સંકલન ઓફીસર દ્વારા તાજેતરમાં પરિપત્ર કર્યો છે.
જેમાં જે પ્રાથમિક શાળામાં એચ ટાટ મુખ્ય  શિક્ષકનું મંજૂર મહેકમ ન હોય તો તે શાળાના સિનીયર શિક્ષક કે જિલ્લા ફેરબદલીથી આવેલ હોય તે પણ ખાતામાં દાખલ તારીખની પ્રવર્તતા ધ્યાને લઈ મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવાનો રહેશે. પરંતુ જો તે સંમત હોય તો  ટીપીઇઓની મંજૂરીથી ચાર્જ આપી શકાશે. આમ ખાતામાં દાખલ તારીખની પ્રવર્તતાના ધોરણે ચાર્જ આપવાનું ઠરાવાયું છે. આમ શાળામાં પ્રથમ હાજર થનારની પ્રવર્તતાના સ્થાને ખાતામાં હાજર થતાની તારીખથી પ્રવર્તતા ગણવાની જોગવાઈ નવા પરિપત્રમાં કરવામાં આવી છે. જેનો લાભ બદલી થઇ આવેલા સિનીયર એચ. ટાટ શિક્ષકોને પણ મળશે.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application