ચૂંટણી યોજાનાર વિસ્તારોમાં સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પડાયું

  • January 29, 2025 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણી યોજાનાર વિસ્તારોમાં સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રિત થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પડાયું

જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.૨૧/૦૧/૨૦૨૫ ના રોજ કરવામાં આવેલી છે. આ તારીખથી જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે.આ ચૂંટણી દરમ્યાન ચૂંટણી હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા વિક્ષેપો ઉભા થાય નહી અને ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડેલ છે. 


જે અનુસાર ચૂંટણી યોજાનાર ઉપરોક્ત વિસ્તારોમાં તા.૨૧/૦૨/ર૦૨૫ સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રિત થવું નહી અથવા કોઈ સભા ભરવી કે કોઈ સરઘસ કાઢી શકશે નહી.    ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને.કોઈ લગ્નના વરઘોડાને.સરકારી ફરજ પરના અધિકારી/કર્મચારી કે કોઈ સ્મશાન યાત્રાને આ જાહેરનામુ લાગુ પડશે નહી.આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application