ખોડીયાર કોલોની નજીક બંધ પડેલી ખાનગી બસમાં આગ લાગતાં દોડધામ

  • November 27, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાયરે આગ બુઝાવી : બસ બળીને ખાખ

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક અશોક સમ્રાટ નગર વિસ્તારમાં માર્ગ પર બંધ પડેલી એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી ગઈ હતી, અને બસ બળીને ખાખ થઈ હતી. ફાયરે આગને બુઝાવી હતી.
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક અશોક સમ્રાટ નગર વિસ્તારમાં લાંબા સમયથી પાર્ક કરવામાં આવેલી જીજે૧-બીવાય-૯૫૮૩ નંબરની ખાનગી લક્ઝરી બસ કે જેમાં ગઈકાલે રાત્રેના દસેક વાગ્યાના અરસામાં એકાએક આગ લાગી ગઈ હતી, અને બસ ભડકે બળી હતી.
 આગની જ્વાળાઓને જોઈને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને બુઝાવી હતી, પરંતુ તે પહેલાં લક્ઝરી બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આગનું ચોક્કસ કારણ અથવા કોની માલિકીની બસ છે, તે જાણી શકાયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application