મોરબીમાં ભૂમાફિયાઓ-બાબુઓનું કરોડોનું જમીન કૌભાંડ?

  • July 29, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકામાં આવેલા ચાંચાપર ગામમાં ભૂમાફિયાઓ સરકારી બાબુઓએ મળી જમીન કૌભાંડ કર્યાના આક્ષેપો સાથેની અરજીી ચકચાર મચી છે. અરજીમાં જે તે સમયના તલાટીી લઈને ઉચ્ચ અધિકારીઓના નામનો ઉલ્લ ેખ પણ કરવામાં આવ્યો છે અને આ અરજીમાં કલેક્ટરને કૌભાંડી અધિકારીઓ સામે પગલાં લેવા અરજદાર દ્વારા પડકાર પણ ફેંકવામાં આવ્યો છે અને જો કલેકટર પગલાં નહિ લે તો  દલિત સમાજના લોકો કલેક્ટર કચેરીના પટાંગણમાં આંદોલન પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અરજીમાં આક્ષેપોમાં તથ્ય કેટલું કે શું છે તે તો તટસ્થ તપાસ થાય તો બહાર આવે. હાલ અરજીએ ઘણા ખરાની ઉંઘ ઉડાડી દીધી હશે.



મળતી માહિતી મુજબ મોરબી જિલ્લ ામાં હમણાં જ મામલતદાર મોરબી તાલુકા વિરુધ્ધ અરજીઓ, ગાંધીનગર ી મહેસુલી અધિકારીઓના દરોડા પડ્યાની વિગતો સામે આવી હતી જે સમાચારોની સાહી પણ  સુકાઇ ની ત્યાજ મોરબીમાં જાગૃત નાગરીક દ્વારા મોરબી તાલુકાના ચાંચાપર ગામે સ.નં. ૨૪૦ પૈ ની સરકારી ખરાબાની જમીનોની લ્હાણી તેમજ મુળ જગ્યા કરતા રોડ ટચ જમીનોના ખોટા પંચરોજકામ કરીને ખુબ મોટો ભ્રષ્ટાચારની નામ જોગ અરજી મુખ્યમંત્રી અને મહેસુલ સચિવને કરી છે. અરજીમાં અરજદારે તંત્રને આ ભ્રષ્ટાચારી અધિકારીઓ ઉપર કાયદેસરના પગલા લેવા પડકાર પણ ફેક્યો છે. 



મોરબી તાલુકાના ચાંચાપર ગામના જે તે વખતના સરકારી ખરાબાના સ.નં. ૨૪૦ આવેલ. જે જમીન ચાંચાપર ગામની નોંધ નં. ૨૮૪ મુજબ મુળ ગૌચરના ખરાબાની આવેલ હતી. જે આ જમીન પછીી સરકાર તરફી જમીન વિહોણા ગરીબ દલીત લોકો તા માલધારી લોકોને વાવવા - ખેડવા ચાંચાપર ગામની નોંધ નં. ૮૦૬ મુજબ આપેલ હતી અને દલીત લોકો પૈસાના અભાવે આ જમીનો ખેડવા સક્ષમ ન હતા જેી તે લોકો ખેતી કરી શકતા ન હોય જેી  નાયબ કલેક્ટર મોરબી દ્વારા આ તમામ દલીતો-માલધારી લોકોની જમીન નોંધ નં. ૧૬૯૧ ી શરતભંગ કરી શ્રી સરકાર કરેલ અને આ દલીત-માલધારી લોકોએ જે તે વખતે નાયબ કલેક્ટર સમક્ષ રૂબરૂ નિવેદન આપી આ જમીન અમોને હવે જોઇતી ની તેવુ રૂબરૂ નિવેદન આપેલ એટલે કે રાજીનામુ આપેલ સરકારના નિયમો મુજબ રાજીનામુ આપેલ જમીન ફરી વાર કોઇ દિવસ રી-ગ્રાંટ ાય નહી કે આવી જમીનો ફરી રી-ગ્રાંટ કરવાની કોઇ જોગવાઇ ની.ભુમાફીયાઓ દ્વારા સાણથલીમાં જમીન મેળવનારા દલીતોને ફોસલાવી લાલચો આપી આ શ્રી સરકાર યેલ જમીનો કલેક્ટર મારફત વહીવટો કરીને વાવેતરની એક તક વાળો હુકમ કરાવેલ ત્યારબાદ મુળ ગ્રાંટીના નામે જમીન તા તાત્કાલીક વારસાઇ પડે છે. અને તાત્કાલીક નવી શરતમાંી જુની શરત ફેરવવા માટે તાત્કાલીક હુકમો ાય છે.


અને તરતજ વેચાણ ાય છે. હવે પ્રશ્ન એ છે કે જે તે વખતે આ ફળવેલ જમીનો ક્યા છે એ કોઇ ને ખબર જ નોતી તો જે તે વખતના રેવ. તલાટી જે બી લીખીયા, સર્કલ ઓફીસર પી.આર ગંભીર દ્વારા ખોટા પંચરોજકામ કરીને ખોટુ વાવેતર દર્શાવીને વહેલા તે પહેલાના ધોરણે આ જગ્યામાં વાવેતર દર્શાવીને ખોટુ પંચરોજકામ અને ખોટી ચતુર્દીશા દર્શાવીને ખોટા અભિપ્રાય આપેલ અને આ મામલતદાર નિખીલ મહેતા દ્વારા સર્વે નંબર ૨૪૦ પૈકી અમુક ખાસ જમીનોની  જુની શરતમાં ફેરવવાનો હુકમ કરેલ અને આ હુકમો નાયબ કલેક્ટર ડી.એ. ઝાલા દ્વારા માન્ય કરેલ અને સમીક્ષા કરવામાં આવેલ જો આ બધી જમીનોના જે તે વખતના જમીન ફાળવણીના રોજકામો અને ડી.આઇ.એલ.આર દ્વારા જે તે વખતની માપણી શીટ જોવામાં આવે તો આ જમીનો ઘણી ઉંડી આવેલ છે રોડ ટચ તો આવેલ જ ની. આ બધાને સાબીત કરવા માટે આજ ી ૧૦-૧૫ વર્ષ પહેલાનુ ગુગલ મેપ પરી જો આ જમીનની સ્ળ-સ્િિત જોવામાં આવે તો આનો સંપૂર્ણ ખ્યાલ આવી જાશે કે રેવ. તલાટી જે.બી. લીખીયા, સર્કલ ઓફીસર પી.આર. ગંભીર, જે તે વખતના શીરસ્તેદાર સંજય બારીયા અને મામલતદાર નીખીલ મહેતા અને નાયબ કલેક્ટર ડી.એ. ઝાલા અને સંકળાયેલાઓએ લાખો-કરોડો રૂપીયા લઇને આ એક મહાકાય કૌભાંડ કરેલના આક્ષેપો છે અને શીરસ્તેદાર સંજય બારીયાએ તો જે તે વખતના શરતભંગ કેસોમાં રેકર્ડ સો ચેડા કરીને અમુક રેકર્ડ ગુમ પણ કરેલ છે. વધુમાં ચાંચાપર ગામે જે તે વખતે જમીન વિહોણા ગરીબ ખેડુતોને જ્યારે સાંણીમાં જમીન આપવામાં આવેલ ત્યારે ડી.આઇ.એલ.આર ઓફીસ દ્વારા તેની માપણી કરવામાં આવેલ. જે માપણીશીટનુ ક્ષેત્રફળ આપેલ જમીનો કરતા ઓછુ હતુ. પરંતુ જ્યારે આ બધી જમીનો રી ગ્રાંટ કરવામાં આવેલ ત્યારે જુની માપણીશીટો ધ્યાનમાં લીધેલ ની. નીતી નિયમો નેવે મુકીને નવી માપણીશીટો કરીને બદલામાં મોટો ભ્રષ્ટાચાર કરેલ હોવાના આક્ષેપો થયા છે.


આ ભ્રષ્ટાચારના તમામ પુરાવાઓ મારી પાસે છે જરૂર પડ્યે તમામ પુરાવાઓ હું રજુ કરીશ તેવું અરજદારે અરજીમાં જણાવ્યું છે અને સો આવા ભ્રષ્ટાચારી લોકો પર કાયદાકીય પગલા લેવા અને નક્કર કામગીરી કરવા મારી અરજી છે. નહીતર અમોને બંધારણમાં મળેલ અધિકારોનો ઉપયોગ કરીને દલીત લોકો કાયદેસરની કાર્યવાહી કરીને કલેક્ટર કચેરીના પટાંગણમાં બેસીને આંદોલન કરશે જેની સમગ્ર જવાબદારી મોરબી કલેક્ટરની રેહશે તેવી ચીમકી અરજદારે તેની અરજી મા ઉચ્ચારી છે અને અરજીમાં આક્ષેપોમાં કેટલું તથ્ય છે એતો અરજીની સંપૂર્ણ તટસ્થ નિસ્પક્ષ તપાસ થાય ત્યારે જ બહાર આવી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application