બુધેલ નજીક અકસ્માતમાં હરિયાણાના આધેડનું મોત

  • February 09, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેર નજીક આવેલા બુધેલ બ્રિજ પાસે અકસ્માતમાં આધેડનું મોત નીપજ્યું હતું. ભાવનગર તળાજા હાઇવે રોડ પર આવેલા બુધેલબ્રિજ પાસે વાહન અકસ્માતમાં સાહબસિંહ મુન્નાસિંહ (ઉ.વ.૪૪, રહે.કરનાલ,હરિયાણા)ને કોઈ અજાણ્યા વાહન ચાલકે મોડીરાત્રે અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં આધેડને ગંભીર ઈજાઓ.પહોંચતા સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ થવા પામ્યું હતું. જે અંગે સર ટી હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કેસ કાગળો તૈયાર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application