બામણના આધેડનો બીમારીથી કંટાળી જઈ કૂવામાં ઝંપલાવી આપઘાત

  • June 10, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા ૫૦ વર્ષના એક ખેડૂત આધેડે પોતાની બીમારીથી કંટાળી જઈ કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.


આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા મહેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખીમજીભાઇ ગીણોયા નામના ૫૦ વર્ષના પટેલ જ્ઞાતિના ખેડૂત આધેડ  કે જેઓ સાતેક વર્ષથી પગના દુખાવાની બીમારીથી પીડાતા હતા. જેની દવા ચાલુ હતી, તેમ છતાં સારું નહીં થતાં તે બીમારીથી કંટાળી જઈ પોતાની વાડીના કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.


આ બનાવની મૃતકના સંબંધી સંજયભાઈ ભીમજીભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application