વલ્લભીપુર નજીક રીક્ષા પલટી મારી જતા આધેડનું મોત

  • January 08, 2024 07:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરને લઇ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જિલ્લાના વલ્લભીપૂર હાઇવે રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં રખડતા ખૂંટિયા અડફેટે રીક્ષા ચાલક આધેડનું મોત નીપજ્યું હતું.


આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પાસે અકસ્માતની ઘટના બની હતી. વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે રહેતા અનિરુદ્ધસિંહ જીતુભા ગોહિલ (ઉ.વ.૫૨) પોતાની રીક્ષા લઇને રીપેરીંગના કામ માટે ગોંડલ ખાતે લઇને જતા હતા. તે વેળાએ વલ્લભીપૂરથી આગળ ચોકડી પાસે અચાનક રીક્ષા આડે રખડતો ખૂંટીયો આવી જતા રીક્ષા સાથે અથડાયો હતો. જે અકસ્માતમાં રીક્ષા પલટી મારી ગઈ હતી. ઘટનાને લઇ લોકોના ટોળાં એકઠા થયા હતા. અને ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને સરવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરાયા હતા. આધેડનું મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી. આ બનાવ અંગે વલ્લભીપુર પોલીસે એડી નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application