વીંછિયા તાલુકાના નાના માત્રા ગામે અગાઉની માથાકૂટનો ખાર રાખી ચાર શખસોએ આધેડ પર ધારીયા અને કુહાડી વડે હુમલો કર્યો હતો જેમાં માથાનાભાગે કુહાડીનો ઘા ઝીંકી દેતા કોળી આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેમણે આ અંગે ગામમાં જ રહેતા ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વીંછિયા તાલુકાના નાના માત્રા ગામે રહેતા અને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર વિનાભાઈ ધનજીભાઈ ગરાંભડીયા(ઉ.વ ૪૫) દ્વારા વીંછિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે અહીં નાના માત્રા ગામે જ રહેતા મહેશ ભુપતભાઈ ગરાંભડીયા, સવજી મનસુખભાઈ, ભગા મનસુખભાઈ અને ધના ભુપતભાઈના નામ આપ્યા છે.
વિનાભાઈ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. ૯/૩ ના રાત્રીના તેઓ ઘરે હતા અને તેમનો પુત્ર દેવરાજ વાડીએ ગયો હોય દરમિયાન મહેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, દેવરાજ અમારી સાથે માથાકૂટ કરે છે તમે અહીં વાડીએ આવો બાદમાં આધેડ વાળીએ જતા અહીં મીટીંગ ચાલતી હોય દરમ્યાન આધેડ અને તેના પુત્રને જોતા આ ચારેય શખસો ગાળો બોલવા લાગ્યા હતા. બીજા દિવસે સવજીએ ઘરે આવી ધમકી આપી હતી કે, અમે બંગડીઓ પહેરી નથી તમારે જેમ રહેવું હોય તેમ રહેજો તમારી સાથે બાજવાનું છે.
ત્યારબાદ ફરિયાદી તથા તેમના પત્ની કોકીલાબેન વાડીએ જતા અહીં ચારેય આરોપીઓ ઊભા હોય તેમણે ગાળો આપી હતી બાદમાં પાણાના ઘા કર્યા હતા જેથી આધેડે તેમના પત્ની અને તેમના પુત્ર અહીં વાડી આવેલા મકાને ચાલ્યા ગયા હતા. બાદમાંમનસુખે ફોન કરીને કહ્યું હતું કે, આવી જાઓ આજે બાજુ જ છે જેથી આધેડ તથા તેમનો દીકરો વનરાજ અને રાહુલ ત્રણેય અહીં જતા આ શખસો પાસે ધારીયા હોય તેના છૂટા ઘા કર્યા હતા. આરોપી મહેશે આધેડને માથામાં કુહાડી મારી દેતા તેઓ ત્યાં ઢળી પડ્યા હતા તેમને લોહી નીકળવા લાગતા આ શખસો અહીંથી નાસી ગયા હતા.હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ ચારેય આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૫, ૫૦૪, ૧૧૪ અને જીપીએકટ કલમ ૩૭,૧૩૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech