પોરબંદરમાં દિવાળીના તહેવાર સબબ શાંતિ સમિતીની મીટીંગ તથા ત્રણવાત તમારી -ત્રણવાત અમારીના કાર્યક્રમનું આયોજન ઉધોગનગર પોલીસ પોલીસ મથક ખાતે કરવામાં આવ્યું હતું.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ની સુચના મુજબ દિવાળીના તહેવાર સબબ પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો શાંતિમય વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે તે અંગે સૂચના આપેલ હોય, જે અન્વયે પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા ના માર્ગદર્શન હેઠળ ઉધોગનગર પોલીસ સ્ટેશન દ્વારા આગામી દિવાળીના તહેવાર સબબ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે પો.સ્ટે. વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો સાથે શાંતિ સમિતીની મીટીંગ તથા ત્રણવાત તમારી-ત્રણવાત અમારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં હાજર રહેલ સ્થાનિક લોકોને આગામી દિવાળીનો તહેવાર શાંતિમય અને નિર્ભય વાતારવણમાં ઉજવાય અને કોઈ વ્યક્તિને હેરાનગતિ ન થાય તે રીતે ફટાકડા ફોડવા અને ગલી/મહોલ્લામાં કોઈ અઘટિત બનાવ ન બને અને તહેવારોમાં પરસ્પર ભાઈચારો જળવાય રહે તે માટે સમજ કરવામાં આવેલ તથા દિવાળીના તહેવારમાં ઘણા લોકો બહાર ફરવા જતા હોય અને ત્યારે લોકોના રહેણાંક મકાનો વધુ સમય બંધ રહેનાર હોય, જેથી લોકો બહાર ફરવા જાય ત્યારે પાડોશીઓને તથા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા અને કોઈ અજાણ્યા,પરપ્રાંતિ,શંકાસ્પદ માણસો દેખાયે તુરંત અત્રે પોલીસ સ્ટેશન ખાતે જાણ સમજ કરવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech