પાકિસ્તાનમાં એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો. જેમાં 11 લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં થયો હતો. કોલસા ખાણકામ કરનારાઓને ટ્રકમાં લઈ જવામાં આવી રહ્યા હતા. પછી ઓચિંતો હુમલો કરવામાં આવ્યો અને ટ્રક પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો.
કામદારોને ટ્રક દ્વારા બલુચિસ્તાન પ્રાંતના હરનાઈ વિસ્તારમાં સ્થિત એક ખાણમાં લાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનનો બલુચિસ્તાન પ્રાંત દાયકાઓથી આતંકવાદ સામે લડી રહ્યો છે.
એક અર્ધલશ્કરી દળના અધિકારીએ માહિતી આપી હતી કે કોલસા ખાણકામ કરનારાઓના ટ્રકને રિમોટ કંટ્રોલ ડિવાઇસ દ્વારા નિશાન બનાવવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. વિસ્તારના ડેપ્યુટી કમિશનર હઝરત વલી આગાએ જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટ સમયે ટ્રકમાં 17 ખાણકામ કરનારા હતા. સ્થાનિક હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે ઘાયલોમાંથી બેની હાલત ગંભીર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બલુચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વિસ્તાર ખનિજોથી ભરપૂર છે. પરંતુ બલૂચ લોકો ચીન અને પાકિસ્તાનના વધતા પ્રભાવનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ચીન અને પાકિસ્તાન દ્વારા આપણા સંસાધનો પર કબજો ગેરકાયદેસર છે. આ જ કારણ છે કે બલુચિસ્તાનમાં ચીની પ્રોજેક્ટ્સ અને નાગરિકોને નિશાન બનાવવામાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર છે. અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્ફોટ સ્થળનો કબજો લીધા બાદ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. વિસ્ફોટમાં માયર્િ ગયેલા અને ઘાયલ થયેલા કામદારો શાંગલાના પુરણ ગામના રહેવાસી છે. બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું હતું કે શહરગમાં થયેલા વિસ્ફોટની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શરૂઆતની તપાસ મુજબ, વિસ્ફોટકો રસ્તાની બાજુમાં મૂકવામાં આવ્યા હતા.
બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કામદારોના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું. મુખ્યમંત્રીએ ઘાયલ કામદારોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો. બુગતીએ કહ્યું કે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવનારા આતંકવાદીઓ કોઈપણ પ્રકારની માફીને લાયક નથી. બલુચિસ્તાનની શાંતિને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech