જામનગર પશુપાલન વિભાગ તથા ગૌ સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે જામજોધપુર ખાતે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું
૧૯૦ થી વધુ પશુઓને વિનામૂલ્યે સારવાર આપી કૃમિનાશક દવાઓનુ વિતરણ કરાયું
પશુપાલન શાખા, જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુ દવાખાના જામજોધપુર તથા ગૌ સેવા મંડળ જામજોધપુરના સંયુક્ત ઉપક્ર્મે જામજોધપુર ગૌશાળા ખાતે મેજર પશુ આરોગ્ય મેળા (PAM)નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા કૂલ ૮૦ પશુપાલક લાભાર્થીઓના ૯૧ પશુઓને મેડિસિનલ, ૧૨ પશુઓને સર્જરી, ૨૭ પશુઓને ગાયનેકને લગતી વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તથા ૧૦૦ જેટલા પશુઓને કૃમિનાશક દવાઓનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ હતુ.તેમજ પશુપાલક લાભાર્થીઓને પશુપાલન ખાતા, ગુજરાત રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓ, પશુપાલક હિતલક્ષી સેક્સડ સીમેન ડોઝથી કૃત્રીમ બીજદાન વિશે સમજણ આપવામા આવી અને ૨૧મી પશુધન વસ્તી ગણતરીના વિશે માહિતી આપવામાં આવી હતી.તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી અને પ્રાણી ક્રુરતા અંગેના કાયદાઓ વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech