પોરબંદરના બોખીરામાં ગરીબો માટે બનાવાયેલ આવાસ યોજનાના ૨૪૪૮ ફલેટ જર્જરિત બની ગયા હોવા છતાં તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ નથી અને તેના કારણે અહીં રહેતા અનેક લોકોના જીવ ઉપર જોખમ સર્જાયુ છે. માટે આ અંગેની સ્થાનિકથી માંડીને રાજ્ય સરકાર સુધીની રજૂઆત બાદ પણ કોઇ જ નકકર પગલા ભરવામાં આવ્યા નથી તેથી હજુ ૧૬ જુન સુધીમાં પરિવારોના સ્થળાંતર સહિત કામગીરી નહી થાય તો અનસન આંદોલન થશે તેમ ચેતવણી આપવામાં આવી છે.
મૂળ પોરબંદર તથા હાલ અમદાવાદ રહેતા રામ ઓડેદરાએ જણાવ્યુ હતુ કે પોરબંદર જેવા નાના સીટીમાં અલગ અલગ જ્ઞાતિ સમાજના ૨૪૪૮ મધ્યમ પરિવારોને એક જ કેમ્પસમાં સારું ઘરનું ઘર મળે. તેવા સુનંદાહેતુથી મિશન સીટી અંતર્ગત કરોડો પિયાનું ફંડ અપાવેલ તે બહુ મોટી વાત કહેવાય અને ગૌરવની વાત કહેવાય પરંતુ તેનો યોગ્ય લાભ ૨૪૪૮ ગરીબોના બદલે સારુ પેપરવર્ક, હલકી ગુણવત્તામાંથી કામ કરીને બે ધનાઢય ક્ધસ્ટ્રકશન કંપનીના માલિકો તેમજ એક કથિત ક્ધસલ્ટન્ટ તેમજ ભ્રષ્ટ જવાબદાર અધિકારીઓને જ થયો છે અને ૨૪૪૮ ગરીબ પરિવારોને તો કેમ્પસની અંદરથી મોતના મુખમાંથી બચાવવા માટે છેલ્લા ૨૦૧૪ થઇ આજ દિન સુધી પોરબંદરથી લઇને ગાંધીનગર સુધીના જવાબદાર પ્રશાસનને સંપૂર્ણ ડિટેઇલ સાથે વારંવાર લેખિતમાં જાણ કરી ચૂકયો છું. જેનું માત્રને માત્ર આજ દિન સુધી પેપરવર્કજ થયુ છે. લાસ્ટ કેન્દ્રની વીજીલયન્સ બોર્ડમાં પણ જર્જરિત બિલ્ડીંગો હોવા છતાં કલીનચીટ મેળવી કમ્પ્લીટેશન સર્ટીઓ મેળવીને માત્ર કામ કરનાર બે ધનાઢય કોન્ટ્રાકટરો તથા એક જવાબદાર કથિત ક્ધસ્લટ્ન્ટ તેમજ ચિફ ઓફીસરના પાપોને છુપાવવા તેમજ તેઓનો બચાવ કરવા માટે આજે તે ૨૪૪૮ ગરીબ પરિવારો મોતની રાહ જોઇને બેઠા છે. તો કમસેકમ તે પરિવારો અન્ય જગ્યાએ રહેવાની વ્યવસ્થા ગવર્મેન્ટે કરી આપવી જોઇએ. તેવી માંગણી રામ ઓડેદરાએ કરી છે અને જો યોગ્ય નહી થાય તો તા. ૧૬મી જુનથી આવાસ યોજના ખાતે અનસનનું આયોજન કરવામાં આવશે તેમ પણ જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech