પોરબંદર થી માત્ર ૧૦ કિલોમીટરના અંતરે રાણાવાવ નેશનલ હાઇવે પર આવેલ વનાણા ગામની નદીમાં હાલ વિશાળ સંખ્યામાં કમળો ખીલી ઉઠ્યા છે. અહીંયા સમગ્ર નદી કમળ વાળી બની ગઈ છે તથા કમરની ગુલાબી ચાદર પથરાઈ હોય તેવા કુદરતી સૌંદર્યનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. પોરબંદર ને પ્રવાસનધામ તરીકે વિકસાવવા અને નવા નવા પર્યટન સ્થળો નો વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે આ ગામના આગેવાનોએ એવી માંગ કરી છે કે આ નદી ની આજુબાજુના સ્થળનો વિકાસ કરવામાં આવે અને તેનું બ્યુટીફિકેશન કરીને ફરવા લાયક સ્થળ બનાવવામાં આવે તો અહીંયા વિશાળ સંખ્યામાં પ્રવાસીઓ ખેંચાઈ આવશે. કારણ કે આ વિસ્તાર હાઈવેથી તદ્દન નજીક આવેલો છે અને સેકડોની સંખ્યામાં કમળો ખીલતા હોવાથી ફોટોસેશન અને સેલ્ફી માટે તેમજ ફરવા માટે આ સ્થળને આકર્ષણ પ બનાવી શકાય તેમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારનો શહેરી વિકાસને વેગ: 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન, 467.5 કરોડની વધારાની ગ્રાન્ટ
March 10, 2025 09:59 PMબ્રિટનમાં મોટો અકસ્માત: તેલ ટેન્કર અને માલવાહક જહાજ વચ્ચે ટક્કર, 32 લોકોના મોત
March 10, 2025 09:54 PMSEBIએ SME IPOના નિયમો કડક કર્યા, હવે રોકાણકારોના હિતો સાથે ચેડાં નહીં થાય
March 10, 2025 09:44 PMછત્તીસગઢમાં ED ટીમ પર હુમલો, ભૂપેશ બઘેલના ઘરમાંથી બહાર નીકળતાની સાથે જ લોકોએ કર્યો હુમલો
March 10, 2025 09:31 PMIIFA Award: 'લાપતા લેડીઝ'નો દબદબો, ગુજરાતના કલાકારોને મળ્યા ત્રણ એવોર્ડ
March 10, 2025 09:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech