જૂનાગઢમાં સર્કલ ચોક ભંગારના ડેલામાં લાકડાના ગોડાઉનમાં રાત્રે લાગેલી આગ કાબુમાં- એકાએક આગી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
જૂનાગઢમાં રાત્રે સર્કલ ચોક ભંગારના ડેલામાં લાકડાના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.શહેર મધ્ય આવેલા વિસ્તારમાં આગના બનાવી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
જૂનાગઢમાં સર્કલ ચોક વિસ્તારમાં આવેલ ભંગારના ડેલામાં લાકડાના ગોડાઉનમાં ગઈકાલે એકાએક આગ લાગી હતી ગણતરીની મિનિટોમાં આગ વધુ વકરતા આગ બેકાબુ બની હતી અને ગોડાઉનને ઝપેટમાં લીધું હતું. આગ લાગવાના બનાવી આસપાસના વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. ભંગારના ગોડાઉન પાસે જ બેંક આવેલી હોવાી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
રાત્રિના સમયે લાગેલી આગ વધુ વકરતા દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા હતા. ઘટનાને લઇ ફાયર વિભાગના બે બંબાઓ એ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. પ્રામિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટી લાગ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે પરંતુ શહેર મધ્યમાં આવેલ વિસ્તારમાં આગ લાગવાી આસપાસના વેપારીઓ, બેંક સતાધીશો અને લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રાત્રિના સમયે લાગેલી આગી કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદી હુમલા બાદ દેશનું લોહી ઉકળી રહ્યું છે, દુનિયા ભારત સાથે, પીડિતોને ન્યાય મળશેઃ PM મોદી
April 27, 2025 12:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech