રામમંદિરમાં પ્રથમ દિવસે જ ઉમટી ભારે ભીડ

  • January 23, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામલલાના અભિષેક બાદ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે લોકો અયોધ્યાધામમાં ઉમટવા લાગ્યા છે. અયોધ્યા પહોચી હજારો ભકતો વહેલી તકે મંદિર રામલલાના દર્શન કરવા માંગે છે. આજે વહેલી સવારથી જ શ્રી રામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં દર્શન કરવા માટે ભકતોની લાંબી કતારો લાગી ગઈ છે.
રામ મંદિરના મુખ્ય દ્રારની બહાર મોડી રાતથી જ ભકતોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. રાત્રે ૨ વાગ્યાથી અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા. ભીડમાં હાજર લોકો ગેટની સામે 'જય શ્રી રામ'ના નારા લગાવીને મંદિરમાં પ્રવેશી રહ્યા છે. આ સાથે અયોધ્યાના સ્થાનિક લોકો પણ રામ મંદિરમાં દર્શન અને પૂજા માટે પહોંચી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application