વાંકાનેરના લાકડધાર ગામના ૩૦મી થી ગુમ પ્રૌઢની અડધી હાડપીંજર થયેલી લાશ ઘરથી બે કિમિ દૂર વિઠલપર ગામના તળાવ પાસેથી મળી આવી હતી જયારે તેમનો મોબાઈલ અને બાઈક અલગ અલગ જગ્યાએથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ બનાવ હત્યાનો છે કે આપઘાતનો જાણવા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવી શકે છે.
બનાવની પ્રા વિગત મુજબ લાકડધાર ગામે રહેતા હીરાભાઈ ધનાભાઇ અણીયારા (કોળી) (ઉ.વ.૫૮) નામના પ્રૌઢ ગત તા.૩૦ના ઘરેથી મોટરસાઇકલ લઈ આટો મારવા જવાનું કહીને નીકળ્યા બાદ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારે ફોન કર્યેા હતો પરંતુ ફોનની રિંગ વાગતી હતી કોઈ ઉપાડતું ન હોવાથી શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બીજા દિવસે ગામથી ૨ કિમિ દૂર આવેલા વિઠ્ઠલપર નજીકથી તેમનો મોબાઈલ ફોન કોઈને મળી આવતા પરિવારજનો જાણ કરી સોંપ્યો હતો આથી પરિવારજનોએ શોધખોળ શ રાખતા થોડે દૂરથી મોટરસાઇકલ મળી આવતા હીરાભાઈ નજીકમાં જ હોવાનું લાગતા તપાસ શ કરી હતી. દરમિયાન તેમનો મૃતદેહ ગામના તળાવ કાંઠેથી મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રૌઢનો માથા થી કમર સુધીનો ભાગ સ્વાન ખાઈ ગયા હોવાથી અડધી બોડી હાડ પિંજર થઇ ગઈ હતી. પ્રૌઢનું મોત કયાં કારણથી થયું છે એ જાણવા પોલીસે ડી–કમ્પોઝ થયેલી લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડી છે.
મૃતક પાંચ ભાઈ પાંચ બહેનમાં ત્રીજા નંબરે હતા અને ખેત મજૂરીકામ કરતા હતા. પ્રૌઢને નશો કરવાની ટેવ પણ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આથી નશો કરી તળાવમાં પડી જવાથી મોત થયું છે કે કેમ તે અંગે ફોરેન્સિક રિપોર્ટ બાદ ખુલી શકે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech