જય જલિયાણના નાદ સાથે દ્વારકામાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી

  • November 20, 2023 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂજન, અર્ચન, ઘ્વજારોહણ, અન્નકુટ, શોભાયાત્રા, સમુહ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

શ્રી જલારામ સેવા સમિતિ દ્વારકા તેમજ સમસ્ત રઘુવંશી પરિવાર દ્વારા પૂજ્ય શ્રી જલારામ બાપાની રર૪મી જન્મજયંતિ ભકિતભાવપૂર્વક ઉજવાઈ ગયેલ. આ પ્રસંગે દ્વારકાધીશ સોસાયટીમાં આવેલા શ્રી જલારામ મંદિરે સવારે અભિષેક પુજા, ધ્વજારોહણ, બપોરે અન્નકુટ દર્શન, સાંજે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બાદમાં જલારામબાપાની શોભાયાત્રા શ્રી લોહાણા મહાજન વાડીએ થી પ્રસ્થાન કરી દ્વારકાના વિવિધ માર્ગો પર ફરી મહાજનવાડીએ પરત ફરેલ. જેમાં બહોળી સંખ્યામાં રઘુવંશીઓ જોડાયા હતા.
આ પ્રસંગે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટા પ્રમાણમાં રકતદાતાઓએ સ્વૈચ્છીક રકતદાન કરેલ, અંતમાં રઘુવંશી ભાઈ-બહેનો માટે લોહાણા મહાજનવાડીમાં સમુહ મહાપ્રસાદ (નાત) યોજાયેલ. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધેલ. આમ જલારામ જયંતિ મહોત્સવ ધામધૂમથી સંપન્ન થયેલ. મહાપ્રસાદીના મુખ્ય યજમાન સ્વ.દિનેશભાઈ રતિલાલ વિઠલાણી હસ્તે નયનાબેન રતિલાલ વિઠલાણી પરિવાર રહેલ. સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા માટે રઘુવંશી આગેવાનો તથા યુવાનોએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application