શહેરના માજોઠીનગરમાં વીજશોક લાગતા પાંચ વર્ષની બાળકીનું મોત થતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. ડીમોલેશન થયેલા મકાનમાં શોર્ટ સર્કિટ હોવાથી સીડી પણ શોર્ટ હોય બાળકી સીડીને અડતા ચોંટી ગઈ હતી અને ઘટના સ્થળે જ મોત થયું હતું.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર રોડ પર માજોઠીનગરમાં રહેતા વિજયભાઇ સાવલિયાની પાંચ વર્ષની પુત્રી ધારા ગઈકાલે બપોરે ઘરે હતી ત્યારે લોખંડની સીડીને અડતા વીજ કરંટને કારણે ચોંટી ગઈ હતી. બૂમ પાડતા બાજુમાં રહેતા પડોશી દોડી ગયા હતા અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકી ત્યાં જ બેભાન થઇ ઢળી પડી હતી. તાકીદે 108ને જાણ કરતા 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવની જાણ થોરાળા પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ત્રણ બહેન અને એક ભાઇમાં નાની હતી અને પિતા હયાત ન હોય અને માતાએ બીજા લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતમાં થોડા દિવસો પહેલા જ માજોઠીનગરમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે બનાવ બન્યો એ સ્વ.વિજયભાઇનું મકાન પણ અડધું તોડી પડાયું હતું. આથી જીવંત વીજવાયર મકાનમાં લટકતા હોવાથી મકાનમાં શોર્ટ સર્કિટ હોય અને સીડીને વાયર અડી જતા બાળકી રમતા રમતા સીડીને અડતા વીજકરંટ લાગ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech