પુણ્યશ્ર્લોક અહિલ્યાબાઈ હોલકરજી ’ત્રિશતાબ્દી સ્મૃતિ અભિયાન’ અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા ગોષ્ઠી કાર્યક્રમ

  • May 27, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેમના ત્રીસ વર્ષના શાશનમાં લોકોના ઉત્થાન અને કલ્યાણ માટેની અનેક યોજનાઓ થઈ, અનેક મંદિરોના જેમણે જીર્ણોદ્ધાર કરાવ્યા તેમજ ઇતિહાસમાં ન્યાયપ્રિય રાજવી તરીકે જેઓ પ્રસિદ્ધ હતાં તેવા પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરજીની ત્રણસોમી જન્મજયંતી આગામી ૩૧ મે ૨૦૨૫ ના રોજ છે ત્યારે, અહિલ્યાબાઈ હોલકરજી ત્રિશતાબ્દી સ્મૃતિ અભિયાન અંતર્ગત ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કૃણાલ શાહના માર્ગદર્શનમાં તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં શહેર કાર્યાલય ખાતે ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
 જેમાં પૂર્વ મહામંત્રી પાર્થ ગોંડલીયા, મહિલા મોરચાના પ્રમુખ કોમલબેન માંગુકિયા સહિત જાગૃતીબેન રાવળ, શીતલબેન પરમાર, શિલ્પાબેન દવે, પૂર્વ શહેર સંગઠનના બહેનો, દંડક ઉષાબેન બધેકા, નગરસેવિકા, નાગરિક બેંક અને શિક્ષણ સમિતિના બહેનો, તમામ વોર્ડના મહિલા પ્રમુખ અને મહામંત્રીશ  ઓ તેમજ અપેક્ષિત બહેનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application