રાજસ્થાનમાં એક યુવકે મેલી વિદ્યાની શંકામાં પહેલા તેના મિત્રની હત્યા કરી અને જ્યારે પોલીસ તેને પકડવા પહોંચી ત્યારે તેણે પણ તલવાર વડે આત્મહત્યા કરી લીધી. હત્યાના આરોપી ફતેહ સિંહને શંકા હતી કે તેના મિત્રના મેલીવિદ્યાના કારણે તેને ધંધામાં નુકસાન થઈ રહ્યું છે. આ પછી તે તેના મિત્રની દુકાને ગયો અને તલવાર વડે તેનું ગળું કાપી નાખ્યું. જ્યારે પોલીસ તેને પકડવા પહોંચી તો તેણે આત્મસમર્પણ કરવાને બદલે પોતાનો જીવ આપી દીધો.
રાજસ્થાનના સલુમ્બરમાં 30 વર્ષીય યુવકે મેલી વિદ્યાની આશંકામાં તલવાર વડે ગળું કાપીને પોતાના જ મિત્રની હત્યા કરી નાખી. નવાઈની વાત તો એ છે કે જ્યારે પોલીસ તેને પકડવા પહોંચી તો તેણે પોતાનો જીવ પણ લઈ લીધો.
રિપોર્ટ અનુસાર આ ઘટના અંગે પોલીસે શનિવારે કહ્યું કે આરોપી ફતેહ સિંહે સાલમ્બરમાં તલવાર વડે તેના મિત્રનું ગળું કાપી નાખ્યું અને તે સ્થળ પરથી ભાગી ગયો.
શુક્રવારે મોડી રાત્રે આરોપી ફતેહ સિંહને પહાડી વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક લોકોએ ઘેરી લીધો હતો. એસપી અરશદ અલીએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હોવા છતાં તેણે તેનું ગળું કાપી નાખ્યું.
તેણે કહ્યું ઘાયલ થયા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત થઈ ગયું.શિક્ષક શંકરલાલ મેઘવાલની હત્યા બાદ આરોપી છુપાઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે મેઘવાલ ગુરુવારે મોડી રાત્રે એક દુકાન પાસે ઊભો હતો ત્યારે ફતેહ સિંહે તેના પર તલવાર વડે હુમલો કર્યો અને તેનું ગળું કાપી નાખ્યું.
જંગલમાં ભાગતા પહેલા તેણે પોતાના પુત્રને બચાવવા આવેલા મેઘવાલના પિતા દલ ચંદને પણ ઇજા પહોંચાડી હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ કેસમાં પોલીસે કહ્યું કે ફતેહ સિંહને શંકા છે કે મેઘવાલ મેલીવિદ્યા કરે છે, જેના કારણે તેના ધંધામાં નુકસાન થયું છે.
એસપી અલીએ જણાવ્યું કે, મેઘવાલ બસ્તીના લોકોએ દાવો કર્યો હતો કે મેઘવાલ અને ફતેહસિંહ એક વર્ષ પહેલા સુધી સારા મિત્રો હતા અને તેને જાદુમાં રસ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech