શંકરટેકરીમાં અગાઉના ઝઘડાનો ખાર રાખીને મકાનમાં આગ ચાંપી

  • March 15, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાડોશી શખ્સનું કૃત્ય : ઘરવખરી સળગી જતા ૧૫ હજારનું નુકશાન

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલ બારોટ ફળીમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને પાડોશી શખ્સે મહિલાના મકાનમાં આગ ચાંપી અંદાજે ૧૫ હજારનું નુકશાન કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે.
મળતી વિગત મુજબ શંકરટેકરીમાં બારોટ ફળી ખાતે રહેતા જશુબેન મહેન્દ્રસિંહ ચાંદ્રા (ઉ.વ.૫૮)ના પાડોશમાં રહેતા કમલેશ મોહનદાસ નિમાવતે અગાઉ ઝઘડો થયેલ હોય તેનો ખાર રાખીને ગઇકાલે ફરીયાદી તેના ઘરમાં ઉપરના માળે સુતા હતા ત્યારે સવારના ૪-૩૦ વાગ્યાની આસપાસ આ શખ્સે આવીને કોઇ જવનશીલ જેવું પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી દેતા ઘરમા પડેલી ઘરવખરીનો માલ સામાન અંદાજે ૧૫ હજારની કિંમતનો સળગી જતા નુકશાન કર્યુ હતું આથી જશુબેન દ્વારા ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં બારોટ ફળીમાં રહેતા કમલેશ મોહનદાસ નિમાવતની વિરુઘ્ધ આઇપીસી કલમ ૪૩૬ મુજબ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application