ગુજરાત સરકાર આગામી મહિને વિધાનસભા સત્રમાં એક બિલ રજૂ કરે તેવી શક્યતા છે, જે ભ્રષ્ટાચારના કેસમાં આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહીને મંજૂરી આપશે. કેસ નોંધાયા પછી, તંત્રને તેની અપ્રમાણસર સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર આપવામાં આવશે. આ ઉપરત્ન સૂત્રોએ જણાવ્યું હતું કે સૂચિત કાયદાની જોગવાઈઓ હેઠળ, સ્થાનિક પ્રોસીક્યુટીંગ એજન્સીઓને અદાલતોની કાનૂની પ્રક્રિયામાંથી પસાર થયા વિના આરોપી કર્મચારીઓની આવકના જાણીતા સ્ત્રોતો ઉપરાંત હસ્તગત કરેલી સંપત્તિઓને જપ્ત કરવાની સત્તા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઓડિશાએ 2006માં અને બિહારમાં 2009માં સમાન કાયદા બનાવાય હતા અને તેમની બંધારણીય માન્યતાને બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી હતી. બિહાર અને ઓડિશામાં ભ્રષ્ટાચારના આરોપી કર્મચારીઓની અપ્રમાણસર સંપત્તિને જપ્ત કરવાની મંજૂરી આપે છે. ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અહીં પણ અમે દરખાસ્ત કરી છે કે ભ્રષ્ટાચાર અને ડીએના પુરાવા દશર્વિતી ચાર્જશીટ દાખલ થયા પછી સ્થાનિક એજન્સીઓ ડીએ જપ્ત કરી શકે છે. ગૃહ વિભાગે તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી મહિને વિધાનસભા સત્રમાં રજૂ થવાની ધારણા મુજબ, કર્મચારીઓની અપ્રમાણસર સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે રજૂ કરવામાં આવી રહી છે કારણ કે ડીએ જપ્ત કરવાની હાલની સિસ્ટમ સમય માંગી રહી છે, જેના કારણે પુરાવા સાથે છેડછાડ થવાનો ચાન્સ રહે છે. સરકાર દ્વારા ડીએના કેસ નોંધવામાં આવી રહ્યા છે, પરંતુ ડીએ જપ્ત કરવામાં મહિનાઓ, વર્ષો પણ લાગે છે. સૂચિત કાયદા હેઠળ, ભ્રષ્ટાચારના આરોપી કર્મચારી સામે ચાર્જશીટમાં તેમના પરિવારના સભ્યો અને નકલી નામોથી કામ કરતા લોકોના ડીએ જપ્ત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMમહારાષ્ટ્રના જાલનામાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત; 17 ઘાયલ
September 20, 2024 06:09 PMભારતના 100 રૂપિયાના સ્લીપરનો આ દેશમાં 1 લાખ રૂપિયા ભાવ
September 20, 2024 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech