ચાંદીપુરા વાયરસ અંગે લોકોને માહિતગાર કરાયા
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે તાજેતરમાં બાળકો માટે વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાડથર સ્થિત ડો. પી.વી. કંડોરીયાની ભગવતી હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલા આ બાળરોગ નિદાન, સારવાર કેમ્પમાં અહીંના જાણીતા નિષ્ણાત ડો. સુનિલ ઠક્કર તથા ડોકટર મીનલ ઠક્કરએ નવજાત શિશુ અને તેમજ બાળકોને તપાસી, તેઓનું નિદાન કરી, જરૂરી સારવાર આપી હતી. જેનો લાભ મોટી સંખ્યામાં બાળકોને મળ્યો હતો.
આટલું જ નહીં, ભાડથર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાસ વક્તવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠક્કર દંપતિએ વર્તમાન ચાંદીપુરા વાયરસ સંદર્ભે ઉપસ્થિત ગ્રામજનોને જરૂરી માહિતી આપી અને આ રોગો સામે સાવચેતી કેળવવા માટે જરૂરી પગલાઓ પણ સૂચવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech