વેરાવળમાં પાણીના પ્રવાહમાં તણાયેલા આધેેડ-બે વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો

  • July 21, 2023 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે વેરાવળ-પાટણ શહેરમાં મેઘરાજાએ કહેર મચાવતા મોટાભાગના વિસ્તારો અને બજારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાદમાં મેઘરાજાએ વિરામ લેતા પાણી ઓસરવા લાગ્યા હતા. જો કે, મેઘરાજાના ખમૈયા ત્રીસ કલાક બાદ આજે પણ શહેરના કોળીવાડા, રાજેન્દ્રભુવન રોડ, રેલવે સ્ટેશન રોડ અને વોર્ડ નં.૫ અને ૬ ની   સોસાયટીઓમાં  વરસાદી પાણી ભરાયેલા હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.આજે સવારથી સતત વરસાદી ઝાપટાઓ વરસી રહ્યા હોવાથી બજારમાં પણ રજા જેવો માહોલ જોવા મળતો હતો. વેપારીઓ પોતાની દુકાનો ખોલીને પલળી ગયેલ માલ સામાન અલગ કરી સાફ સફાઈ કરતા જોવા મળતા હતા.
​​​​​​​
મંગળવારની રાત્રીના વરસેલ ભારે વરસાદના પાણી શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ભરાતા ત્યાં મુસ્તફા મસ્જીદ પાસે રહેતા પરીવારનો બે વર્ષનો બાળક આહિલ તેના ઘર પાસેથી પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. જેની ગઈકાલે તેના પરીવારજનો ઉપરાંત  ની ટીમે શોધખોળ હાથ ધરેલ પરંતુ મળી આવ્યો ન હતો. આ માસુમ બાળકનો મૃતદેહ આજે બપોરે બારેક વાગ્યે તેના ઘરથી એક કીમી દુર કિરમાની સોસાયટી પાસેના નાળા પાસેથી તપાસ દરમ્યાન મળી આવતા પરીવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application