પોરબંદરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

  • September 19, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


‘સ્વચ્છતા હી સેવા’અભિયાન અંતર્ગત પોરબંદરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૪ અભિયાન અંતર્ગત સાંસ્કૃતિક ઉત્સવ કલ્ચરલ  ફેસ્ટીવલની  ઉજવણી થઇ છે. જેમાં કલેકટર એસ.ડી. ધાનાણી, પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, ડી.ડી.ઓ. ઠકરાર, ચીફ ઓફિસર મનન ચતુર્વેદી તેમજ નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર, સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ અંતર્ગત પોરબંદર-છાયા શહેર માટે ડો. ગાંધી તેમજ રંજનબેન મજીઠીયાની નિમણૂં કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application