મારૂતિનગરના મહિલાના મૃત્યુ મામલે ટેમ્પા ચાલક વિરૂધ્ધ નોંધાયો ગુનો

  • September 21, 2024 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના તરસમીયા રોડ ખારશી વિસ્તારના મારૂતિ નગરમાંથી મહિલાઓ ટેમ્પામાં ગણેશ વિસર્જન કરવા ગયા હતા. ત્યાથી પરત ફરતી વેળાએ ટેમ્પામાંથી ઉથલી પડતા એક મહિલાનું મોત નિપજવા પામ્યુ હતું જે મામલે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધાવા પામ્યો હતો.
શહેરના તરસમિયા રોડ, મોટા શિતળા માતાના મંદિર પાછળ આવેલા મારૂતિનગરમાં રહેતા મંગુબેન હિંમતભાઈ બારૈયાએ ઘોઘા પોલીસ મથકમાં ટેમ્પા નંબર જીજે. ૦૪. એડબલ્યુ- ૩૬૩૩ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૫ના રોજ તેઓ તેમજ મારૂતીનગર સોસાયટીના અન્ય મહિલાઓ ટેમ્પામાં બેસી ગણેશ વિસર્જન કરવા કોળીયાક ગયા હતા. ત્યાથી બપોરના  પરત ફરતા હતા.ત્યારે  અવાણીયા ગામના નાળા પાસે પહોંચતા બમ્પ આવતા ટેમ્પાની વાડ ખુલ્લી હોય ત્યાથી જયશ્રીબેન નિચે પડી જતા તેઓને ગંભીર ઈજા પહોંચતા તેઓનું મૃત્યુ નિપજવા પામ્યુ હતું. ઉક્ત બનાવ સંદ્રભે પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application