ઉદ્યોગનગરના રેલ્વે ફાટક પાસે દરગાહ આડે ખોદી નાખવામાં આવેલ કેનાલને લીધે ભારે હેરાનગતિ

  • September 09, 2024 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં નગરપાલિકાનું તંત્ર પ્રિમોન્સુનની કામગીરીમાં માનતું નથી અને જ્યારે  આગ લાગે ત્યારે કુવો ખોદવાનો હોય એ રીતે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટેની લોકો હેરાન થાય તે પ્રકારની કામગીરી કરે છે.જેનું ઉદાહરણ ઉદ્યોગનગરના રેલ્વે ફાટક પાસે જોવા મળ્યું છે કે જ્યાં દરગાહની પાસે જ પાણીના નિકાલ માટે કેનાલ ખોદી નાખવામાં આવી છે અને ત્યારબાદ તે કેનાલ ઉપર પાઇપ મુક્યા નથી જેના કારણે દરગાહમાં અને પાછળ આવેલી સોસાયટીઓમાં રહેતા લોકોને અવર-જવરમાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને લાકડાના પાટીયા ઉપરથી જીવના જોખમે લોકો પસાર થતા જોવા મળે છે.પોરબંદર નગરપાલિકાનું તંત્ર પાણીના નિકાલ માટે જ્યાં ત્યાં ખોદકામ કરે છે,ત્યારબાદ તે જગ્યાનું તાત્કાલિક લઈને સમારકામ કરાવવાની કામગીરીમાં ઘોર બેદરકારી દાખવી રહ્યું છે જેના કારણે ઠેર ઠેર પોરબંદરવાસીઓ હેરાન થઈ રહ્યા છે. આ વિસ્તારના લોકોએ તે અંગેની રજુઆત કરી હતી અને વહેલીતકે યોગ્ય કરવા માંગ કરી હતી.તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application