કાળઝાળ મોંઘવારીમાં રોજનું કરી ને ઘરનું ગુજરાન ચલાવતા નાના ધંધાર્થીઓ માટે જીવન દોહ્યલું બની ગયું છે. શહેરના કૈસર એ હિન્દ પુલ પાસે સાઇકલના ધંધાર્થીએ દુકાનમાં જ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
ભગવતી પરામાં રહેતા અને કૈસર એ હિન્દ પુલ પર જીતેન્દ્ર બુક સ્ટોલ પાસે સાયકલ રીપેરીંગની દુકાન ધરાવતા નિલેશભાઈ મનસુખભાઇ ચાવડા (ઉ.વ.40) નામના યુવકે સાંજે દુકાનમાં જ ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. યુવકને કામધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકડામણ ઉભી થતા પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
રેલનગર બગીચામાં મહેશભાઈએ ઝેરી દવા પીધી. જામનગર રોડ પર પરસાણા નગર-4માં રહેતા મહેશભાઈ મનુભાઈ ગોહેલ (ઉ.વ.42) નામના યુવકે ગઈકાલે બપોરે રેલનગર પાસે આવેલા બગીચામાં જઈ જતું મારવાની દવા પી લેતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોડની પૂરક પરીક્ષામાં ધો. 10 ના વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડના બદલે બેઝિક ગણિત રાખી શકશે
May 14, 2025 10:25 AMખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech