ભાવનગર અમદાવાદ શોર્ટ હાઇવે પર પદયાત્રા સંઘના ટ્રેક્ટરને અકસ્માત નડ્યો હતો. અમદાવાદથી ખોડિયાર મંદિર જતા ટ્રેકટરને મીની ટેમ્પાએ પાછળથી ટલ્લો મારતા ટ્રેકટર પલટી મારી ગયું હતું. અને અકસ્માતમાં છ જેટલાં લોકોને ઇજા પહોંચતા ૧૦૮ એમ્બયુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા હતા.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર અમદાવાદ શોર હાઇવે પર માઢીયા નજીક ટ્રેક્ટરને મીની ટેમ્પાએ પાછળ થી ટલ્લો મારતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. અમદાવાદથી ભાવનગરના પ્રસિદ્ધ યાત્રાધામ ખોડિયાર મંદિર ખાતે પદયાત્રા સંઘ આવી રહ્યો હતો. જે સંઘની સાથે રહેલું ટ્રેકટર માઢીયા નજીક પહોંચ્યું ત્યારે પાછળથી આવી રહેલા મીની ટેમ્પાના ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટરને ટલ્લો માર્યો હતો. જે અકસ્માતમાં ટ્રેકટર પલટી મારી ગયું હતું. ટ્રેક્ટર પલટી મારી જતા ટ્રેક્ટરમાં બેસેલા પદયાત્રા સંઘના બહેનોને ઇજા પહોંચી હતી. માઢીયા નજીક ટ્રેક્ટર પલટી મારી જવાના બનાવમાં છ જેટલાં લોકોને ઇજાઓ પહોંચી હતી. બનાવને લઇ હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. અને લોકોના ટોળાં એકઠા થયા હતા. લોકો દ્વારા ૧૦૮ ને જાણ કરાતા બે ૧૦૮ અને ૧ હાઇવે એમ્બયુલન્સ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટનાને પગલે પોલીસ દોડી આવી ટ્રાફિક દૂર કરાવી અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMબેન્જામિન નેતન્યાહુએ ખામેનીની ધમકી પર કહ્યું, હુમલાનો જવાબ આપવો એ અમારો અધિકાર...
October 06, 2024 11:00 AMમુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગતા, એક જ પરિવારના 7 લોકોના મોત
October 06, 2024 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech