ભાવનગર અમદાવાદ શોર્ટ હાઇવે પર પદયાત્રા સંઘના ટ્રેક્ટરને અકસ્માત નડ્યો હતો. અમદાવાદથી ખોડિયાર મંદિર જતા ટ્રેકટરને મીની ટેમ્પાએ પાછળથી ટલ્લો મારતા ટ્રેકટર પલટી મારી ગયું હતું. અને અકસ્માતમાં છ જેટલાં લોકોને ઇજા પહોંચતા ૧૦૮ એમ્બયુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા હતા.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર અમદાવાદ શોર હાઇવે પર માઢીયા નજીક ટ્રેક્ટરને મીની ટેમ્પાએ પાછળ થી ટલ્લો મારતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. અમદાવાદથી ભાવનગરના પ્રસિદ્ધ યાત્રાધામ ખોડિયાર મંદિર ખાતે પદયાત્રા સંઘ આવી રહ્યો હતો. જે સંઘની સાથે રહેલું ટ્રેકટર માઢીયા નજીક પહોંચ્યું ત્યારે પાછળથી આવી રહેલા મીની ટેમ્પાના ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટરને ટલ્લો માર્યો હતો. જે અકસ્માતમાં ટ્રેકટર પલટી મારી ગયું હતું. ટ્રેક્ટર પલટી મારી જતા ટ્રેક્ટરમાં બેસેલા પદયાત્રા સંઘના બહેનોને ઇજા પહોંચી હતી. માઢીયા નજીક ટ્રેક્ટર પલટી મારી જવાના બનાવમાં છ જેટલાં લોકોને ઇજાઓ પહોંચી હતી. બનાવને લઇ હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. અને લોકોના ટોળાં એકઠા થયા હતા. લોકો દ્વારા ૧૦૮ ને જાણ કરાતા બે ૧૦૮ અને ૧ હાઇવે એમ્બયુલન્સ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટનાને પગલે પોલીસ દોડી આવી ટ્રાફિક દૂર કરાવી અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, છ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
April 30, 2025 07:00 PMજામનગર: મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ
April 30, 2025 06:41 PMજામનગરના મોરાર સાહેબ ખંભાળિયા ગામે નદી પર બનેલ રહેલ બ્રિજનું કામ ગોકળગતીએ
April 30, 2025 06:38 PMજામનગરના મોરાર સાહેબના ખંભાળીયા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં, ગ્રામજનોમાં રોષ
April 30, 2025 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech