સીમા પર બાંગ્લાદેશી ગુંડાઓએ કપટથી બીએસએફના જવાનનું અપહરણ કર્યું

  • June 05, 2025 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાંગ્લાદેશી નાગરિકોએ કપટથી એક બીએસએફ જવાનનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને આંતરરાષ્ટ્રીય સરહદ પાર લઈ જવામાં આવ્યો હતો. જોકે, થોડા કલાકો પછી જવાનને છોડી મૂકવામાં આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે આ ઘટના જિલ્લાના નુરપુરના સુતિયારમાં સરહદ સુરક્ષા દળ કેમ્પ નજીક ચાંદની ચોક નજીક વહેલી સવારે બની હતી.૭૧મી બટાલિયનના શ્રીગણેશને બાંગ્લાદેશીઓ સરહદ પાર લઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરૂઆતમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે જવાન ઘુસણખોરોનો પીછો કરતી વખતે બાંગ્લાદેશ સરહદ પાર કરી ગયો હતો, પરંતુ ત્યારબાદની બીએસએફ તપાસમાં સ્પષ્ટ થયું કે તે ભારતીય ક્ષેત્રમાં હતો અને તેને બળજબરીથી બાંગ્લાદેશ લઈ જવામાં આવ્યો હતો.


બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે જવાને માનવતા અપનાવી અને બાંગ્લાદેશીઓને વાતચીત માટે પોતાની નજીક આવવા દીધા, પરંતુ તેઓના મનમાં કપટ ભર્યું હતું અને જવાનનું અપહરણ કર્યું.બીએસએફના સૂત્રોના જણાવ્યા અનુસાર, જવાન કથલિયા ગામ નજીક બાંગ્લાદેશથી ઘૂસણખોરીના પ્રયાસને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેને બાંગ્લાદેશના છપાઈ નવાબગંજ જિલ્લાના અસામાજિક તત્વોએ પકડી લીધો.


થોડા કલાકોમાં જ થઈ શકી મુક્તિ

દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના એક વરિષ્ઠ બીએસએફ અધિકારીએ જણાવ્યું,કે જવાનનું બાંગ્લાદેશી નાગરિકો દ્વારા અપહરણ કરીને તેને બંધક બનાવવામાં આવ્યો હતો , પરંતુ જ્યારે અમે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ સાથે આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે તેને થોડા કલાકોમાં જ છોડી દેવામાં આવ્યો. જવાન હવે અમારી સાથે છે અને ઠીક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application