રાજકોટમાં ૧૩ વર્ષના તરુણે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

  • January 17, 2024 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આપઘાતના બનાવોમાં હવે માસુમ બાળકોનો પણ બાકાત નથી. હજુ દુનીયાદારીની સમજ ન થઇ હોય એવા તણવયના બાળકો ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી રહયાં છે. રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં રહેતા ૧૩ વર્ષીય બાળકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પ્રિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. પ રિવાર બહેનનું સગપણ નકકી કરવા ગયો હતો અને પોતે ત્યાંથી વહેલો ઘરે આવી પગલું ભરી લીધું હતું. બનાવના પગલે એ. ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી.
પ્રા વિગત અનુસાર, રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં ભવાનીનગર શેરી નં.૨ માં રહેતો સાબિર આમીનભાઈ શેખ (ઉ.વ.૧૩) નામના બાળકે પોતાના ઘરે મમાં પંખાના હત્પકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગે હોસ્પ્ીટલ ચોકીના સ્ટાફે એ. ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પ્િટલ પહોંચી જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પોેલીસની પ્રાથમીક તપાસમાં મૃતકનો પરિવાર મૂળ બંગાળનો વતની છે અને તેઓ ઘણાં સમયથી રાજકોટમાં રહે છે. તેમજ મૃતકના પિતા નાસ્તાની લારી રાખી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારજનોએ જણાવ્યું કે, સાબિર જીદ્દી સ્વભાવનો હતો. ગઈકાલે તેમની મોટી બહેન માટે સગપણ નક્કી કરવા પરિવાર સાથે મોરબી રોડ પર ગયા હતાં ત્યાંથી તે વહેલો ઘરે આવી ગયો હતો અને ઘરે આવી પગલું ભરી લીધું હતું. મૃતક ત્રણ બહેનોનો એક નો એક ભાઈ હતો. બનાવથી બંગાળી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application