ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રીના વિવિધ વિભાગ ના જવાબો રજૂ કરવાની જવાબદારી ૮ મંત્રીઓને સોંપવામાં આવી છે.ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બલવંતસિંહ રાજપૂત, મુળુભાઈ બેરા, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, બચુ ખાબડ તથા પ્રફુલ પાનસેરીયા જવાબ આપશે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તા.૧૯ ફેબ્રુઆરીથી શ થશે. ગુજરાતના રાયપાલ આચાર્ય દેવવ્રત એ બજેટ માટે વિધાનસભાનું સત્ર બોલાવવાનું આહ્વ ાન કયુ છે. તા.૧૯ ફેબ્રુઆરી બપોરે ૧૨ કલાકથી વિધાનસભા સત્રની શઆત થશે. યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ તા. ૨૦ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે.
બજેટ સત્રમાં મુખ્યમંત્રીના વિભાગોના જવાબ અન્ય મંત્રીઓ આપશે. વિધેયકો, પ્રશ્નોતરી અને મેજ પર મુકવાનાં કાગળો અંગે જવાબદારી મંત્રીઓને સોંપાઈ છે. ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બલવંતસિંહ રાજપૂત, મુળુભાઈ બેરા, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, બચુ ખાબડ તથા પ્રફુલ પાનસેરીયા જવાબ આપશે.
ઋષિકેશ પટેલ સામાન્ય વહિવટ, નર્મદા તથા શહેરી વિકાસ વિભાગના જવાબ રજૂ કરશે. બલવંતસિંહ રાજપૂત ખાણ અને ખનીજ, મહેસુલ વિભાગ ના જવાબ રજૂ કરશે. હર્ષ સંઘવી ગૃહ અને પોલીસ હાઉસિંગ નશા બંધી ખાતાના જવાબ રજૂ કરશે, તો બીજી તરફ જગદીશ વિશ્વકર્મા માર્ગ અને મકાન તથા પાટનગર યોજનાના જવાબ રજૂ કરશે. બચૂ ખાબડ પંચાયત, મુળુ બેરા યાત્રાધામ, રાઘવજી પટેલ બંદરો અને માહિતી પ્રસારણ તથા પ્રફુલ પાનસેરીયા વિજ્ઞાન અને પ્રૌધોગિક વિભાગના જવાબ રજૂ કરશે. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી વતી તેમના વિભાગના જવાબો અન્ય મંત્રીઓ આપતા હોય તેવી પરંપરા રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જી.જી. હોસ્પિટલમાં ઓનલાઈન કેસ કઢાવવાની સુવિધા ઉપલબ્ધ
March 29, 2025 06:07 PMધોરાજીમાં 16 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આરનાર નરાધમ કાકાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી
March 29, 2025 05:26 PMજમીનમાં ભાગ માંગી મોટાભાઈએ ધારિયાથી નાનાભાઈનું ઢીમ ઢાળી દીધું
March 29, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech