આજે સવારે જબલપુર જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પહેલો અકસ્માત જબલપુર-કટની રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખિતૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહરેવા ગામ નજીક થયો હતો, જ્યાં શ્રદ્ધાળુઓથી ભરેલું એક તુફાન વાહન બેકાબુ બનીને રોંગ સાઈડ પહોંચી ગયું અને સામેથી આવતી બસ સાથે અથડાયું. અકસ્માત એટલો ભયાનક હતો કે છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માતનો ભોગ બનેલા તમામ શ્રદ્ધાળુઓ કર્ણાટકના બેલગામ જિલ્લાના ગોકાક શહેરના રહેવાસી હતા અને પ્રયાગરાજમાં કુંભ સ્નાન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં વિરુક્ષી ગુમતી, બસવરાજ કુરાતી, બાલચંદ્ર, રાજુ, ઈરાનમ અને સુનીલ બાલચંદ્રનું મૃત્યુ થયું. આ દરમિયાન, સદાશિવ અને મુસ્તફા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે સિહોરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ જબલપુરના કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા. ક્રેનની મદદથી પોલીસ અને વહીવટીતંત્રે અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કર્યા અને હાઇવે પર ટ્રાફિક પૂર્વવત કર્યો.
બીજો અકસ્માત અંધમુખ બાયપાસ નજીક થયો, જ્યાં મહાકુંભ માટે સુલતાનપુરથી પ્રયાગરાજ જઈ રહેલી કાર રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ. જેમાં કાર ચાલક સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જયારે કારમાં બેઠેલી એક મહિલાને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને 108 ની મદદથી જબલપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આ અકસ્માતમાં કાર સવાર અશ્વિની ચૌધરી અને સૌરભ સેનનું મોત નીપજ્યું હતું, જ્યારે વર્ષા પટેલ ઘાયલ થઈ હતી.
આ ઘટનાઓ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોને પોતાના કબજામાં લીધા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. ઘાયલોને મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એડિશનલ એસપી સૂર્યકાંત શર્માએ બંને અકસ્માતોની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ઘાયલોની સારવાર ચાલી રહી છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કીએ ભારત સાથે દગો કર્યો, પાકિસ્તાનને મોકલ્યા જથ્થાબંધ હથિયારો
April 28, 2025 04:51 PMમુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની વધુ 12 દિવસ કસ્ટડી લંબાવી, NIA કોર્ટનો હુકમ
April 28, 2025 04:46 PMશહેરના કુંભારવાડા વિસ્તારમાં પોલીસની સતત તપાસ
April 28, 2025 04:40 PMભુંભલી ચોકડી નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
April 28, 2025 04:39 PMભારતને મળશે શક્તિશાળી રાફેલ-M વિમાન, ફ્રાન્સ સાથે સોદો થયો, જાણો શું છે ખાસિયત
April 28, 2025 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech