જામનગરના નવાગામ ઘેડમાં રહેતા ૭૨ વર્ષના બુઝુર્ગ મહિલા નો ગળા ફાંસા દ્વારા આપઘાત

  • May 24, 2023 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ૭૨ વર્ષના બુજુર્ગ મહિલાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછળ હનુમાન ચોક માં રહેતા શાંતાબેન મગનભાઈ સદાદિયા નામના ૭૩ વર્ષીય બુઝુર્ગ મહિલાએ ગઈકાલે પોતાના ઘેર રસોડાની લાકડાની આડસમાં ચુંદડી બાંધી  ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતકના પુત્ર રમેશભાઈ મગનભાઈ સદાદિયાએ સૌપ્રથમ ૧૦૮ ની ટીમને જાણ કરતા ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને તેઓએ શાંતાબેન નું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું.
ત્યારબાદ પોલીસ ને જાણ કરતાં સિટી બી. ડિવિઝન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application