અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે ઉપર હિંમતનગર સહકારી જીન મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામે આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.શામળાજીથી અમદાવાદ જઈ રહેલી એક કાર ટ્રક ટ્રેલર પાછળ ઘૂસી જતાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર બતાવાઈ રહી છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.થોડા સમય માટે હાઈ-વે પર ટ્રાફિક અવરોધાયો હતો જે ટ્રાફિક પોલીસે દોડી જઈ ક્લીઅર કરાવ્યો હતો. ઘટનાના પગલે હાઈ-વે મરણચીસો ગુંજી ઉઠી હતી, પરિવારની ઓળખ મેળવવા કાર્યવાહી ચાલી રહી છે. તમામ મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે.
મળતી માહિતી અનુસાર હિંમતનગર પાસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોને કાળ ભરખી ગયો હતો. અમદાવાદના તમામ લોકો કારમાં સવાર થઇને શામળાજી થી અમદાવાદ તરફ પરત ફરી રહ્યા હતા જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.જો કે આ ઘટનામાં કોની બેદરકારી હતી એ તો તપાસ બાદ સામે આવશે. ઘાયલ વ્યક્તિની સારવાર નજીકની હોસ્પીટલમાં ચાલી રહી છે અને તેની સ્થિતિ પણ ગંભીર ગણાવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જૂનથી ઓગસ્ટ દરમિયાન કરી શકાશે અરજી
April 26, 2025 11:03 PMતાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ, પ્રથમ દિવસે 1200 રૂપિયા સુધી ભાવ બોલાયા
April 26, 2025 11:02 PMજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech