ત્રણ ત્રણ કુલપતિ બદલી ગયા પછી પણ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં જુદા જુદા ભવનોમાં ખાલી પડેલી એસોસિયેટ પ્રોફેસરોની જગ્યા ભરવા માટે અનેક પ્રયત્નો છતાં આ કામગીરી થઈ નથી. છેલ્લે પૂર્વ કુલપતિ ગિરીશભાઈ ભીમાણીના સમયમાં આ સંદર્ભે ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા પરંતુ પસદં થયેલા ઉમેદવારોના નામોની વધુ જાહેરાત થઈ નથી. નજીકના ભવિષ્યમાં આવી જાહેરાત થાય તેવી શકયતા પણ નથી. ઉલટાનું શિક્ષણ વિભાગે અગાઉ જે ૭ એસોસિયેટ પ્રોફેસરોને ગેરલાયક ઠરાવ્યા હતા તેમને પણ ઇન્ટરવ્યૂમાં શા માટે બોલાવ્યા ?તેવો સવાલ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સતાવાળાઓને પૂછાતા ભારે દોડધામ શ થઈ ગઈ છે.
યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા મુજબ એસોસિયેટ પ્રોફેસરોની ભરતી હવે ખોરભે ચડી જાય એવું લાગે છે. ભૂતકાળમાં યારે કુલપતિ તરીકે નીતિનભાઈ પેથાણી હતાં ત્યારથી આ પ્રક્રિયા શ થઈ હતી અને તેમાં ૯ ઉમેદવારોની પસંદગી કરી અંતિમ મંજૂરી માટે રાય સરકારના શિક્ષણ વિભાગને મોકલવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગે આ નવમાંથી સાત એસોસિયેટ પ્રોફેસરો પૂરતી લાયકાત ધરાવતા નથી તેવો શેરો મારીને આ સમગ્ર પ્રકરણ અને ફાઈલ યુનિવર્સિટીને પાછું મોકલ્યું હતું.
સાત એસોસિયેટ પ્રોફેસરોનો ઈશ્યુ પેન્ડિંગ રાખીને બાકીના બે ને ઓર્ડર આપવાના બદલે પૂર્વ કુલપતિ ગીરીશભાઈ ભીમાણીના સમયમાં નવેસરથી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેમાં અગાઉ ગેરલાયક ગણાવાયેલા સાત પ્રોફેસરોને પણ ઇન્ટરવ્યૂમાં
બોલાવાયા હતા.
ઇન્ટરવ્યૂ અને ભરતીની આ પ્રક્રિયા અંગે થોડા સમય પહેલા સરકારનું માર્ગદર્શન માગવામાં આવ્યું હતું. પરંતુ સરકારે એટલે કે ઉચ્ચ શિક્ષણ વિભાગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ૨૦૧૮ ના નિયમ મુજબ ભરતી કરવા જણાવ્યું છે. આ નિયમ પ્રમાણે સાત ગેરલાયક પ્રોફેસરોની ભરતી થઈ શકે તેમ નથી. પરંતુ અગાઉ ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હોવા છતાં તેમને ઇન્ટરવ્યૂમાં શા માટે બોલાવ્યા ?તેવો સવાલ ઉચ્ચ શિક્ષણ વિભાગે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને કર્યેા હોવાનું બહાર આવ્યું છે.
યુનિવર્સિટીના વર્તુળો આ સમગ્ર પ્રકરણને 'તારા પછી મારો મેં પછી ગારો'ની કહેવત સાથે સરખાવી રહ્યા છે. ભૂતકાળમાં અમુક પ્રોફેસરોના દાવ લેવામાં આવ્યા તે પ્રોફેસરો અત્યારે મેદાનમાં આવી ગયા છે અને દાવ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech