કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો 62મો સ્થાપના દિવસ કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની થીમ પભૂતકાળનું સન્માન, ભવિષ્યની દિશા હતી, જે ના સમૃદ્ધ વારસા અને પ્રગતિશીલ વિઝનને પ્રતિબિંબિત કરે છે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શાળાના આચાર્ય શ્રી ગુણવંતરાય ચૌધરી હતા. શાળાની ધોરણ 8 ની બળાઓએ પભારત કા સ્વર્ણિમ ગૌરવ, કેન્દ્રીય વિદ્યાલય લાવશેથ ગીત પર મંત્રમુગ્ધ કરી દેનારી રજૂઆત કરી હતી. પ્રિન્સિપાલે કહ્યું કે આપણે બધાએ મજબુત રાષ્ટ્રનું નિમર્ણિ કરવું છે. આ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે, આપણે બથાએ સંપૂર્ણ મહેનત સાથે આગળ વધવું પડશે અને વિધાર્થીઓની ક્ષમતા માં પણ વૃધ્ધિ કરવી પડશે. શાળાના અનુસ્નાતક શિક્ષક (હિન્દી) શ્રી સુરેશ ચંદ બૈરવાએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ના સંકલ્પોને પૂર્ણ કરવા માટે વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શાળાના પૂર્વ વિદ્યાર્થી ઓને પણ આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાલયનાં એનસીસી કેડેટ્સને ઉત્કૃષ્ટતા પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. અંતે અનુસ્નાતક શિક્ષક (ભૂગોળ) શ્રી ભાવેશ સિન્હા દ્વારા ધન્યવાદ શાપિત કરવામાં આવ્યી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાલય ના તમામ શિક્ષક અને વિદ્યાર્થી હજાર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech