ગુજરાતની જુદી જુદી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી નર્સિંગ સ્ટાફની જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરવા માટે ગુજરાત સરકારના કમિશનર ઓફ હેલ્થની કચેરી દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી.
પ્રશ્નના જવાબમાં આપેલા કોઈ ચાર વિકલ્પમાંથી એક પસંદ કરવા માટે ઓએમઆર સિસ્ટમથી પેપર કાઢવામાં આવ્યા હતા અને તેમાં જે જવાબો વિકલ્પમાં આપવામાં આવ્યા હતા તેમાં આન્સર કી જાહેર કરાયા પછી બધા જ જવાબમાં એબીસીડી અને ડીસીબીએ સિક્વન્સમાં જ જવાબો મળતા ભારે હોબાળો મચી ગયો હતો. આ સંદર્ભે તપાસ કરવામાં આવી હતી અને થોડી ઘણી કાર્યવાહી પણ થઈ હતી. પરંતુ આખરે આમાં શું થયું ? તેની કોઈ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.
વિવાદ અને શંકાના ઘેરામાં આવી ગયેલી આ પરીક્ષાના પરિણામો જાહેર થયા છે અને તેમાં ચોકાવનારી વિગતો એ છે કે 61 પરીક્ષાર્થીઓ એવા છે કે જેને ગુજરાતી ભાષાના પેપરમાં 95 થી 100 માર્ક મળ્યા છે. સામાન્ય રીતે ગણિત વિષયમાં આ પ્રકારે માર્ક મળતા હોય છે. કારણ કે ગણિતને રોકડિયા માર્કનો સબ્જેક્ટ ગણવામાં આવે છે. પરંતુ બોર્ડની પરીક્ષામાં પણ ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીઓને ગુજરાતીમાં 100 માંથી 100 માર્કસ મળતા હોય છે. જ્યારે કમિશનર ઓફ હેલ્થની સ્ટાફ નર્સની પરીક્ષાના પરિણામમાં 10 પરીક્ષાર્થીઓ એવા છે કે જેને ગુજરાતીમાં 100 માંથી 100 માર્ક મળ્યા છે.
પરિણામનું વિશ્લેષણ કરતા એવી ચોકાવનારી વાત પર બહાર આવી છે કે એક વિદ્યાર્થીને 99,દસ વિદ્યાર્થીઓને 98.75 બે વિદ્યાર્થીઓને 98 , છ વિદ્યાર્થીઓને 97.75 અગિયાર વિદ્યાર્થીઓને 97.50,બે વિદ્યાર્થીઓને 97, અગિયાર વિદ્યાર્થીઓને 96 થી 96.75,આઠ વિદ્યાર્થીઓને 95 માર્ક ગુજરાતીના પેપરમાં મળ્યા છે.
આ સમગ્ર બાબતમાં વધુ ચોકાવનારી વાત તો એ છે કે 100 માંથી 100 ગુણ ગુજરાતી વિષયમાં મેળવનાર વિદ્યાર્થીઓને નર્સિંગ પરીક્ષાના પેપર એકમાં 45 થી 51.75% માર્ક મળ્યા છે. નર્સિંગના પેપરમાં મળેલા ઓછા માર્ક અને ગુજરાતી વિષયના પેપરમાં મળેલા વધારે માર્કના કારણે એવરેજ ઘણી સુધરી જાય છે અને તેના કારણે મેરીટમાં પણ આવા વિદ્યાર્થીઓ ઘણા આગળ આવી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMઉગલવાણ ગામે યુવાનનો વ્યાજખોરના ત્રાસથી મરવા મજબુર બની આપઘાત
June 06, 2025 03:26 PMભાવનગરના યુવાન સાથે મુંબઈ, પટના અને અમરેલીના શખ્સોએ કરી ઠગાઈ
June 06, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech