વડોદરા અને આણંદ જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટનામાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. વડોદરાના પાદરામાં ચમારા પુલ પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરે બાઇક પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારતાં ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે આણંદના આંકલાવના બામણગામ નજીક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર 3 યુવાનનોના ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા.
વડોદરા પાદરામાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં મળતી માહિતી મુજબ, મૃતક ત્રણેય યુવકો સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ચમારા બ્રિજ પાસે ટ્રેક્ટરે ટક્કર મારતાં ત્રણેય યુવકો રસ્તાની બાજુમાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ ત્રણેયના મોત નીપજ્યા હતા. ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે ટ્રેક્ટરચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનાના પગલે પાદરા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આણંદના અંકલાવના બામણગામ નજીક બનેલી હિટ એન્ટ રનની ઘટનામાં મળતી માહિતી મુજબ, અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર 3 યુવાનનોના ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતા.
આ અકસ્માત આંકલાવના બામણગામ રોડ પર આવેલા અંબાકુઈ નજીક મોડીરાત્રે સર્જાયો હતો. અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા હતા. મૃતક યુવાનો પાદરાના મુજપુર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech