જીએસટી કાઉન્સિલનું ગ્રુપ ઓફ મિનીસ્ટર્સ લકઝરી હેન્ડબેગ્સ, સનગ્લાસ અને કોસ્મેટિક પ્રક્રિયાઓ સહિત ૫૮ સામાન અને ૨૪ સેવાઓને ૧૮% અથવા ૧૨% થી ૨૮% જીએસટી સ્લેબમાં ખસેડવાનું વિચારી રહ્યું તેમ ઉચ્ચ સુત્રોએ જણાવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ લકઝરી વસ્તુઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો અને તે તબક્કાવાર જીએસટી કલેકશનમાં નોંધપાત્ર વધારોકરવાનો છે.
મોંઘી હેન્ડબેગ્સ અને સનગ્લાસ અને અમુક કોસ્મેટિક પ્રક્રિયાઓ સહીત ૫૮ જેટલા માલસામાન અને ૨૪ સેવાઓને ૧૮% અથવા ૧૨% થી ૨૮%ના ટોચના સ્લેબમાં ખસેડવામાં આવી શકે છે. બે દિવસ અગાઉ ગ્રુપ ઓફ મિનીસ્ટર્સ દ્રારા જણાવવામાં આવ્યું હતું કે અમુક લકઝરી વસ્તુઓ પર જીએસટી વધી શકે છે. સુત્રોએ જણાવ્યું છે કે ૫૮ વસ્તુઓ અને ૨૪ સેવાઓ સીધી જ ૨૮ ટકાના સ્લેબમાં મુકે દેવાશે જેમાં બોટોકસ ટ્રીટમેન્ટ, મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ, નેઇલ અને ટેટૂ પાર્લર માટે કોસ્મેટિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. જીએસટી સ્લેબના આ પરિવર્તનથી વધારાની . ૨૨,૦૦૦ કરોડની આવક ઉભી થાય તેવી શકયતા છે. બે દિવસ અગાઉ બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીની આગેવાની હેઠળના જીઓએમએ હાઈ–એન્ડ કાંડા ઘડિયાળો અને શૂઝ સહિત અનેક લકઝરી વસ્તુઓ પર જીએસટી દર વધારવાનું સૂચન કયુ હતું. જીઓએમએ . ૨૫,૦૦૦ થી વધુ કિંમતની કાંડા ઘડિયાળ પર જીએસટી દર ૧૮ ટકાથી વધારીને ૨૮ ટકા કરવાનો પ્રસ્તાવ મૂકયો હતો. ઉપરાંત, ૧૫,૦૦૦ પિયાથી વધુની કિંમતના જૂતા પર પણ જીઓએમની દરખાસ્ત મુજબ ૧૮ ટકાથી ૨૮ ટકા સુધીનો ટેકસ વધારો જોવા મળશે. જીઓએમના સભ્યોએ ૨૦–લિટર પેકેડ પીવાના પાણીની બોટલો અને સાયકલ પરના કર દર ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાનો પણ નિર્ણય કર્યેા હતો. વ્યાયામ નોટબુક પરનો જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી શકાય છે, એમ સભ્યોએ પ્રસ્તાવ મૂકયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech