અત્યાર સુધીમાં 72 સ્કુલ, 58 કલાસીસ, 22 હોસ્પિટલ (પાર્ટલી), 39 હોટલ-રેસ્ટોરન્ટ સહિત કુલ 191 મિલ્કત સીલ: હવે ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફરશે
તાજેતરમાં રોજકોટમાં ગેઈમ ઝોનમાં બનેલ આગજનીની ગોઝારી દુર્ઘટના બાદ રાજય સરકારની સુચના મુજબ જામનગર મહાનગરપાલિકા ખાતે મ્યુતિ. કમિશ્નર ડી. એન. મોદીની સુચના તથા માર્ગદર્શન મુજબ નાયબ કમિશ્નર, સીટી એન્જીનીયર, ચીફ ફાયર ઓફિસર ધ્વારા તા. 28મે ના રોજ 8 ટીમો જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે તથા 1 ટીમ જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ(જાડા)ના વિસ્તારો માટે રચવામાં આવેલ. આ ટીમો ધ્વારા હોસ્પીટલ્સ, શૈક્ષણિક સંકુલ, સિનેમા/ મોલ્સ, ટયુશન કલાસીસ, હોટલ/રેસ્ટોરન્ટસ વિગેરેમાં ફાયર એન.ઓ.સી./ રીન્યુઅલ, વપરાશ પરવાનગી વિગેરે બાબતેની ચકાસણી તા.28/05/2024 થી શરૂ કરવામાં આવી હતી, ગઇકાલે વધુ એક સ્કુલ, ત્રણ ટયુશન કલાસ અને પાંચ હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 72 સ્કુલ, 58 કલાસીસ, 22 હોસ્પિટલ (પાર્ટલી), 39 હોટલ-રેસ્ટોરન્ટ સહિત કુલ 191 મિલ્કત સીલ કરવામાં આવ્યા છે અને હવે ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફરશે તેમ જાણવા મળે છે.
તા. 05/06/2024 ના બપોરથી તા. 06/06/2024 ના બપોર સુધીમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલ રેસ્ટોરન્ટસ કે જેમાં ફાયર એન.ઓ.સી. કે બી.યુ. પરમીશન ન હોય, તેવી કુલ પ રેસ્ટોરન્ટસ સીલ કરવામાં આવેલ તેમજ જુદા-જુદા વિસ્તારોમાં કુલ 1 જેટલી સ્કલ તથા 3 ટયુશન કલાસીસ સીલ કરવામાં આવેલ. જામનગર મહાનગરપાલિકા ધ્વારા આગામી દિવસો પણ ફાયર એન.ઓ.સી, વપરાશ પરવાનગી કે ફાયર એન.ઓ.સી. રોન્યુઅલ ન કરેલ હોય તેવી તમામ ઓકયુપન્સીમાં સીલીંગની કામગીરી ચાલુ રહેશે.
કોર્પોરેશને ખીજડીયા બાયપાસ પાસે આવેલી જયમાતાજી હોટલ, ગુલાબનગરમાં ઇન્ડીયન હોટલ, ગુલાબનગરમાં બુખારીશા રેસ્ટોરન્ટ, રાજકોટ રોડ ઉપર અતિથી રેસ્ટોરન્ટ અને ટવીન્કલ રેસ્ટોરન્ટ, આ ઉપરાંત ક્રિષ્ના સ્કુલ, શાન કલાસીસ મહારાજા સોસાયટી, અન્ડર બ્રિજ પાસે લીટલ વર્લ્ડ પ્લેહાઉસ, સેટેલાઇટ પાર્કમાં સમર્થ કલાસીસ પણ સીલ કરી દેવામાં આવ્યા છે.
વધુમાં કમિશ્નરની યાદી મુજબ જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ હાઈરાઈઝ, લો-રાઈઝ - રહેણાંક/ કોમર્શીયલ, સિનેમા/ મોલ્સ, શોપીંગ સેન્ટર, હોટલ/ રેસ્ટોરન્ટસ, હોસ્પીટલ્સ, શૈક્ષણિક હેતુના બાંધકામો, એસેમ્બ્લી પ્રકારના બાંધકામો કે જેમાં પ્રવર્તમાન ફાયર એકટ તથા કોમન 01202 મુજબ વિકાસ પરવાનગી, વપરાશ પરવાનગી તથા ફાયર એન.ઓ.સી. મેળવવુ/રીન્યુ કરાવવું ફરજીયાત છે તેમજ આ જવાબદારી જે-તે બાંધકામના માલિક/વપરાશકતર્નિી રહે છે, તેવા તમામ બાંધકામોમાં તાત્કાલિક અસરથી જો વિકાસ પરવાનગી, વપરાશ પરવાનગી, ફાયર એન.ઓ.સી./ રીન્યુલ ન મેળવેલ હોય તો મેળવી લેવાની જવાબદારી જે-તે આસામીની રહેશે. વધુમાં આવું ન કર્યેથી જે-તે બાંધકામના આસામી પર સરકારની સુચના મુજબની તમામ ધોરણસરની, કાર્યવાહી કરવામાં આવશે, જેની સવેએ નોંધ લેવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech