ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા વૈશ્વિક વિશ્લેષણ મુજબ 2050 સુધીમાં ભારતમાં 440 મિલિયનથી વધુ મેદસ્વી અને વધુ વજન ધરાવતા લોકો હોય શકે છે.
સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમના તારણોમાં જણાવાયું છે કે સદીના મધ્ય સુધીમાં ભારતમાં વધુ વજનવાળા અને મેદસ્વી પુખ્ત વયના લોકોની સંખ્યા (218 મિલિયન પુરુષો અને 231 મિલિયન સ્ત્રીઓ) ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે હોય શકે છે. જેમાં અમેરિકા, બ્રાઝિલ અને નાઇજીરીયા અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે રહેવાની અપેક્ષા છે. આ સંશોધકો જેમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સંશોધકોનો પણ સમાવેશ થાય છે, તેમણે ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ (જીબીડી) સ્ટડી 2021 માટે સહયોગ કર્યો. અભ્યાસ મુજબ, 2021 માં વિશ્વના લગભગ અડધા પુખ્ત વયના લોકો - એક અબજ પુરુષો અને એક અબજથી વધુ સ્ત્રીઓ - વધુ વજનવાળા અને મેદસ્વી હતા. ભારતમાં, આ સંખ્યા લગભગ 180 મિલિયનથી વધુ હતી - 81 મિલિયન પુરુષો અને 98 મિલિયન સ્ત્રીઓ.
લેખકોએ જણાવ્યું હતું કે 2050 સુધીમાં, વૈશ્વિક સ્તરે આ સંખ્યા વધીને લગભગ 3.8 અબજ - 1.8 અબજ પુરુષો અને 1.9 અબજ સ્ત્રીઓ - ‘તે સમયે સંભવિત વૈશ્વિક પુખ્ત વસ્તીના અડધાથી વધુ’ થઈ શકે છે. તેઓએ લખ્યું કે જ્યારે ચીન, ભારત અને યુએસએ વધુ વજનવાળા અને મેદસ્વીતા ધરાવતી વૈશ્વિક વસ્તીનો મોટો હિસ્સો બનવાનું ચાલુ રાખશે, ત્યારે સબ-સહારન આફ્રિકા સુપર-રિજનમાં આ સંખ્યા 254.8 ટકા વધવાની આગાહી છે. સંશોધકોએ એવો પણ અંદાજ લગાવ્યો છે કે 2050 સુધીમાં ભારતમાં 5-14 વર્ષની વયના લગભગ 16 મિલિયન છોકરાઓ અને 14 મિલિયનથી વધુ છોકરીઓ વધુ વજનવાળા અને મેદસ્વી હોય શકે છે, જે ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની શકે છે. જોકે 15-24 વય જૂથમાં, ભારતનો સૌથી વધુ બોજ વિશ્વ પર આવી શકે છે, જેમાં 2050 માં દેશમાં 22 મિલિયનથી વધુ પુરુષો અને લગભગ 17 મિલિયન સ્ત્રીઓ આ આરોગ્ય સંકટથી પીડાઈ રહ્યા હશે.
મુખ્ય લેખક ઇમેન્યુએલા ગાકીડોઉ, ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (આઈએચએમઈ), યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન, જે જીબીડી અભ્યાસનું સંકલન કરે છે. તેમણે જણાવ્યું હતું કે વધુ વજન અને મેદસ્વીતાની વૈશ્વિક મહામારી એક ગંભીર દુર્ઘટના અને એક મોટી સામાજિક નિષ્ફળતા છે. આ અભ્યાસ, અત્યાર સુધીની સૌથી વ્યાપક વૈશ્વિક વિશ્લેષણ, સરકારો અને જાહેર આરોગ્ય સમુદાયને સ્થૂળતાના સૌથી મોટા બોજનો અનુભવ કરતી પ્રાથમિકતા ધરાવતી વસ્તીને ઓળખવામાં મદદ કરી શકે છે જેમને તાત્કાલિક હસ્તક્ષેપ અને સારવારની જરૂર છે.આ તાજેતરના અંદાજો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ફેબ્રુઆરીના રોજ તેમના માસિક 'મન કી બાત' રેડિયોકાસ્ટમાં સ્થૂળતા સામે લડવા માટે મજબૂત દલીલ કરી હતી એ પછી સામે આવ્યા છે. તેમણે કહ્યું હતું કે એક ફિટ અને હેલ્ધી રાષ્ટ્ર બનવા માટે સ્થૂળતાનો સામનો કરવો પડશે. સ્થૂળતા, 30 થી વધુનો બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ), વ્યાપક અસરો ધરાવે છે. જેમાં મેટાબોલિક અને હૃદય રોગનું જોખમ વધવાનો સમાવેશ થાય છે. તે વ્યક્તિના હાડકા તેમજ પ્રજનનક્ષમતા પર પણ અસર કરી શકે છે અને કેન્સરનું જોખમ વધારી શકે છે.
જોકે, નિષ્ણાતોએ તાજેતરમાં સ્થૂળતા માપવા માટે વધુ સૂક્ષ્મ અભિગમ અપનાવવાની હાકલ કરી હતી. જાન્યુઆરીમાં, લેન્સેટ કમિશનના અહેવાલના લેખકોએ સ્થૂળતાનું નિદાન કેવી રીતે થાય છે તેના પર પુનર્ગઠન કરવાની વિનંતી કરી હતી અને બીએમઆઈ ઉપરાંત કમરનું માપ અથવા કમરથી હિપ ગુણોત્તર જેવા પાસાઓ પર ધ્યાન આપતી નવી પદ્ધતિની હાકલ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલારની પાંચ ન.પા. ના પ્રમુખ-ઉપપ્રમુખની આવતીકાલે વરણી
March 04, 2025 01:26 PMજામનગરમાં બેન્ક ઓફ બરોડા દ્વારા રૂપિયા 67 કરોડની ચેકોનું વિતરણ
March 04, 2025 01:21 PMસાત રસ્તા સર્કલ પાસે ફલાય ઓવરની કામગીરી અંતર્ગત અનેક રસ્તા ડાયવર્ટ
March 04, 2025 01:15 PMજામનગરમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતીના મામલે કલેકટરને આવેદન પત્ર
March 04, 2025 01:12 PMજો પહેલી વાર વિદેશ જઈ રહ્યા છો તો આ બાબતોનું રાખો ધ્યાન
March 04, 2025 01:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech