નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૪ સ્કૂલોને આશ્રય સ્થાન તરીકે ખુલ્લી મુકાઇ

  • June 14, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવાજોડા સંદર્ભે સ્થળાંતર કરાયેલા લોકોને શાળામાં આશરો અપાયા પછી શિક્ષકગણનો સ્ટાફ મદદમાં જોડાયો

જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૪ શાળા કે જેમાં હાલ રજા જાહેર કરી દેવામાં આવી છે, અને તમામ સ્કૂલો ને આશ્રય સ્થાન તરીકે ફેરવી દેવામાં આવી છે, જેમાં સ્થળાંતર કરાયેલા લોકોને આશરો આપવામાં આવી રહ્યો છે.
 જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરાની યાદીમાં જણાવાયા અનુંસાર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન.મોદી ની સૂચના અને ડીએમસી ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ તમામ ૪૪ શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ત્રણ દિવસ માટેની રજા જાહેર કર્યા પછી હાલમાં તમામ શાળાઓને આશ્રય સ્થાન તરીકે પરિવર્તિત કરી દેવામાં આવી છે, અને તમામ શાળાઓ ખુલ્લી રાખવામાં આવી છે.
 શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરીને નજીકની શાળામાં રાખવામાં આવ્યા છે, જ્યારે વધુને વધુ લોકોને અન્ય શાળામાં આશ્રય આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત તમામ શાળાના શિક્ષક ગણ કે જેઓ પોતાની ફરજ પર ચાલુ રહ્યા છે, અને આશ્રય સ્થાનમાં આવનારા લોકોની મદદમાં જોડાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application