વાવાજોડા સંદર્ભે સ્થળાંતર કરાયેલા લોકોને શાળામાં આશરો અપાયા પછી શિક્ષકગણનો સ્ટાફ મદદમાં જોડાયો
જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૪ શાળા કે જેમાં હાલ રજા જાહેર કરી દેવામાં આવી છે, અને તમામ સ્કૂલો ને આશ્રય સ્થાન તરીકે ફેરવી દેવામાં આવી છે, જેમાં સ્થળાંતર કરાયેલા લોકોને આશરો આપવામાં આવી રહ્યો છે.
જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરાની યાદીમાં જણાવાયા અનુંસાર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન.મોદી ની સૂચના અને ડીએમસી ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ તમામ ૪૪ શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ત્રણ દિવસ માટેની રજા જાહેર કર્યા પછી હાલમાં તમામ શાળાઓને આશ્રય સ્થાન તરીકે પરિવર્તિત કરી દેવામાં આવી છે, અને તમામ શાળાઓ ખુલ્લી રાખવામાં આવી છે.
શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરીને નજીકની શાળામાં રાખવામાં આવ્યા છે, જ્યારે વધુને વધુ લોકોને અન્ય શાળામાં આશ્રય આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત તમામ શાળાના શિક્ષક ગણ કે જેઓ પોતાની ફરજ પર ચાલુ રહ્યા છે, અને આશ્રય સ્થાનમાં આવનારા લોકોની મદદમાં જોડાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech