બેડેશ્ર્વરમાં સફાઇ કામદાર પર હુમલો કરતા ૪૦ સફાઇકર્મીઓ હડતાલ પર

  • February 28, 2023 12:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ના બેડેશ્વર વિસ્તારમાં આજે સવારે સફાઈ કામ દરમિયાન એક સફાઈ કામદાર પર પથ્થરમારો કરાતાં ભારે દેકારો બોલી ગયો હતો. જેને લઇને સફાઈ કામદારમાં આક્રોશ જોવા મળ્યો હતો, અને ૪૦ જેટલા સફાઈ કામદારો વિજળીક હડતાળ પર ઉતરીયા હતા. ઇજાગ્રસ્ત સફાઈ કામદારને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે, જ્યારે પોલીસ તંત્ર દોડતું થયું છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકા ના સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો મુકેશ રાઠોડ નામનો સફાઈ કામદાર આજે સવારે બેડેશ્વર વિસ્તારમાં સફાઈ કામ કરી રહ્યો હતો, જે દરમિયાન સ્થાનિક રહેવાસીએ સફાઈ ના મુદ્દે તેના પર પથ્થરમારો કર્યો હતો, જેથી તે ઇજાગ્રસ્ત બન્યો હતો.





એટલુંજ માત્ર નહીં, સફાઈ કામદારને એક ઓરડીમાં લઈ જઈ પુરવાની કોશિશ પણ થઈ હતી, દરમિયાન સફાઈ કામદાર ત્યાંથી ભાગ્યો હતો, અને અન્ય કર્મચારીઓને જાણ કરતાં વોર્ડ નંબર એકના ૪૦ જેટલા સફાઈ કર્મચારીઓ એકત્ર થઈ ગયા હતા, અને સામુહિક હડતાલ પાડી દીધી હતી. તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે જેની સાથે પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.


ઇજાગ્રસ્ત સફાઈ કામદાર મુકેશ રાઠોડ ને જામનગર ની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે, જયારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application