નવા વર્ષ 2025ની શરૂઆત લોહિયાળ ઘટનાઓ સાથે થઈ છે. અમેરિકામાં 2 હુમલાઓ હજુ તાજા જ છે ત્યાં યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોના દક્ષિણમાં આવેલા એક શહેરમાં એક હુમલાખોરે અંધાધુંધ ફાયરીંગ કરી બે બાળક સહિત 10ના મોત નિપજાવ્યા હતા અને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.
સ્થાનિક પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોના દક્ષિણમાં કરવામાં આવેલા ગોળીબારમાં બે બાળક સહિત 10 લોકોના મોત થયા છે.તેમજ 47 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. જેના પગલે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો રેસ્ટોરન્ટમાં કરવામાં આવ્યો છે અને આ પછી હુમલાખોરે પોતાને પણ ગોળી મારી દીધી.મોન્ટેનેગ્રોની સરકારે ગુરુવારથી ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. દેશના વડાપ્રધાને ફાયરિંગને ’ભયંકર અકસ્માત’ ગણાવ્યો છે.ગૃહમંત્રીએ કહ્યું કે હુમલાખોરે તેના પરિવારના સભ્યો, રેસ્ટોરન્ટના માલિક અને તેના બે બાળકોની હત્યા કરી છે.
એએફપીએ વડાપ્રધાનને ટાંકીને જણાવ્યું હતું કે ફાયરિંગમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
એક 45 વર્ષીય વ્યક્તિએ દક્ષિણ મોન્ટેનેગ્રોના શહેર સેટીનજે માં ગોળીબાર કયર્િ પછી પોતાના માથામાં ગોળી ધરબી દીધી હતી. એકો માર્તીનોવિક નામનો વ્યક્તિ સ્થાનિક સમય મુજબ સાંજે 5:30 વાગ્યે સેટીનજે નજીકના બાજીસ ગામમાં પહોચ્યો હતો અને ત્યાંથી પર આવીને બાદમાં આ હુમલાને અંજામ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech