શ્રી વ્રજ્વલ્લભ સોશ્યલ ગ્રુપ, શ્રી મોટી હવેલી જામનગર દ્વારા વૈષ્ણવ પરિવાર ના તેજસ્વી વિદ્યાર્થી નો 30 મો સન્માન સમારંભ શ્રી મોટી હવેલી જામનગર ખાતે પૂ પા ગો શ્રી હરિરાયજી મહારાજશ્રી ની આજ્ઞા થી....પૂ પા ગો શ્રી વલ્લભ રાયજી મહોદય શ્રી ની અધ્યક્ષતા માં એવમ પૂ પા ગો શ્રી રસાદ્ર રાઇજી, અને પૂ પા ગો શ્રી પ્રેમાદ્રર રાઇજી ની પ્રેરક ઉપસ્થિતિ માં યોજવામાં આવેલ હતો.
સન્માન સમારોહ માં 72 વિદ્યાર્થી નું ઇનામ તથા ઈ - સર્ટિફિકેટ થી આશીર્વાદ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત શ્રી કુરજીભાઈ મુંગરા દ્વારા તથા નલીનભાઇ રાજાણી અને કિરીટભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. દાતા પરિવાર ના સહયોગ થી ઇનામ,આશ્વાસન ઇનામ,તથા પ્રભુ ની પ્રસાદી રૂપ દૂધ તથા પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ માં પુષ્ટિમાર્ગીય પ્રશ્નો સાથે ની પ્રશ્નોતરી શ્રી વિશાલ પોપટ દ્વારા કરવામાં આવી હતી,તેમજ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ ગુજરાત પ્રદેશની વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૭ની નૂતન કારોબારી સમિતિમાં શ્રી મોટી હવેલી જામનગર ના સંનિષ્ઠ કાર્યકર કમલેશભાઈ હેડાવને પરિષદના સંગઠન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવતા પૂ.પા.ગો. શ્રીવલ્લભરાયજી મહોદયશ્રી દ્વારા આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવામાં આનંદ પટેલ, અમર ગોંદિયા, મૌલિક ગોંદીયા, ધ્રુપલ લુક્કા, હરિભાઈ ધડિયા,હાર્દિક બુધ્ધ, રાજુભાઈ માંડવીયા, પરાગ સોની ,જયેશ આહીર,માધવ આહીર,દેવેન ખંભાયતા,રાજુભાઈ રાજા,ગીરધરભાઇ ડાભી વિગેરે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ નું સંચાલન અને આભારવિધિ નલીનભાઇ રાજાણી એ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMપાકિસ્તાને બેશરમીની તમામ હદ વટાવી: આતંકવાદીઓને ફ્રીડમ ફાઈટર ગણાવ્યા
April 25, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech